Friday, June 26, 2026
Homenational80 વર્ષનાં આ દાદીનાં પેઇન્ટિંગ્સ ઇટલીના એક્ઝિબિશનમાં મુકાયાં

80 વર્ષનાં આ દાદીનાં પેઇન્ટિંગ્સ ઇટલીના એક્ઝિબિશનમાં મુકાયાં

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

મધ્ય પ્રદેશના ઉમરિયા જિલ્લાના લોઢા ગામમાં રહેતાં ૮૦ વર્ષનાં જોધૈયાબાઈ બૈગાએ બનાવેલાં ચિત્રોનું એક્ઝિબિશન ઇટલીના મિલાન શહેરમાં યોજાયું છે. માજીએ હજી અગિયાર વર્ષ પહેલાં જ આશીષ સ્વામી નામના ગુરુ પાસેથી તાલીમ લેવાની શરૂ કરેલી. જોધઇયા બાઈ કશું જ ભણ્યાં નથી, પરંતુ હાલમાં તેમના ચિત્રોનું પ્રદર્શન વિદેશો અને ખાસ તો ફૅશન અને કળા માટે જાણીતા ઇટલીના મિલાન શહેરમાં પહોંચ્યું છે. આ એક્ઝિબિશન ૧૧ ઑક્ટોબર સુધી ચાલવાનું છે. નવાઈની વાત એ છે કે આ એક્ઝિબિશનમાં બીજાં પણ ઘણા કલાકારોના ચિત્રો રજૂ થવાનાં છે અને એની આમંત્રણ પત્રિકાના લેટરના કવર પેજ પર આ દાદીનું ચિત્ર મૂકવામાં આવ્યું છે.

૪૦ વર્ષ પહેલાં તેમણે પતિનો સાથ ગુમાવ્યો એ પછી પરિવારનો નિભાવ ખર્ચ કરવાની તેમની પાસે કોઈ જોગવાઈ નહોતી. કોઈકે તેને કહ્યું કે પારંપરિક ‌ચિત્રો બનાવવાનું કામ કરીને પણ તે પૈસા કમાઈ શકશે અને બાળકોને સંભાળી શકશે. બસ, તેણે હાથમાં પેઇન્ટિંગ બ્રશ ઉઠાવી લીધું. તેને જે સૂઝ્યું એ ચીજોના ચિત્રો બનાવવા શરૂ કર્યાં. જંગલી પશુઓ, કુદરતી દૃશ્યો, રોજબરોજમાં જોવા મળતી ઘટનાઓ એમ તેણે પોતાની કલ્પનાને ચિત્ર રૂપે કંડારવાનું શરૂ કર્યું. એ પછી તેણે આશીષ સ્વામી પાસે જઈને શીખવાનું પણ શરૂ કર્યું. હવે તો તેઓ આખો દિવસ પેઇન્ટિંગ સિવાય કશું જ કરતાં નથી.

ઇન્ટરનૅશનલ સ્તરે તેનાં ચિત્રો વખણાઈ રહ્યા છે એ માટે બહેન ખુશખુશાલ છે. આ માજીને જોઈને આદિવાસીઓ માટે કાર્યરત કાર્યકરોનું કહેવું છે કે હજીયે આદિવાસીઓ પાસે પૂરતું શિક્ષણ નથી, પરંતુ તેમની પાસે જે કળા છે એ કાબિલેદાદ છે. આ દાદીને જોઈને સમાજના બીજા લોકોને પણ પ્રેરણા મળશે એવી આશા છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here