Friday, June 5, 2026
HomeGujaratAhmedabadCM રુપાણીનો 6 દિવસનો ઈઝરાયેલ પ્રવાસ, જળસંચય અને ખેતી રહેશે મુખ્ય મુદ્દા

CM રુપાણીનો 6 દિવસનો ઈઝરાયેલ પ્રવાસ, જળસંચય અને ખેતી રહેશે મુખ્ય મુદ્દા

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

મુખ્યપ્રધાન વિજય રુપાણી આગમી 26 જૂન ના રોજ 6 દિવસના ઇઝરાયેલ પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન તેમના એજન્ડામાં ટોપ પર જળ વ્યવસ્થાપન અને આધૂનિક ખેતી હશે. સીએમ બન્યા બાદ વિજય રુપાણીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. આ પ્રવાસમાં તેમની સાથે રાજ્યના અનેક ઉચ્ચાધિકારીઓ પણ ઇઝરાયેલ જશે. જ્યાં તેઓ જળ વ્યવસ્થાપન અંગેના પાઠ ભણશે અને તેમાંથી રાજ્યની ગંભીર જળ સમસ્યાનો ઉકેલ શોધવા માટે પ્રયાસ કરશે.સીએમ રુપાણીનો આ પ્રવાસ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુની ગુજરાત મુલાકાતના પાંચ મહિના પછી યોજાઈ રહ્યો છે. આ દરમિયાન સીએમ રુપાણીના ડેલિગેશમાં રાજ્યના કેટલાક ટોપના બિઝનેસમેન પણ જોડાઈ શકે છે. જ્યારે ઇઝરાયેલ અગાઉથી જ રાજ્યમાં સરકારને બે એગ્રિકલ્ચર સેન્ટર બનાસકાંઠા અને કચ્છ ડેવલોપ કરવામાં મદદ કરે છે. જ્યારે આ વિઝિટ દરમિયાન બીજા પણ આવા સેન્ટર માટે કોલોબ્રેશન થઈ શકે છે.મુખ્યમંત્રીના સેક્રેટરી અશ્વિનિ કુમારે કહ્યું કે, ‘અનેક ભૌગોલિક વિષમતાઓ હોવા છતા ઇઝરાયેલે પોતાના દેશમાં જળ વ્યવસ્થા પણ અને ખેતીવાડી ક્ષેત્રે ખાસ્સી પ્રગતી સાધી છે. આપણે તેમની પાસેથી ઘણું શીખી શકીએ છીએ. આ પ્રવાસ દરમિયાન મુખ્ય ધ્યાન ઉત્તમ ખેતીવાડી પદ્ધતી, પાણીનું શુદ્ધીકરણ, ખારા પાણીમાંથી પીવા લાયક પાણી બનાવવું, રાજ્યની સુરક્ષા અને ઇનોવેશન પર ભાર મુકવો જેવા મુદ્દા મુખ્ય રેહશે.’તેમણે કહ્યું કે, ‘ઇઝરાયેલના વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ ત્યાંની અનેક કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કરવા માટે રસ દાખવ્યો છે. જેથી ત્યાંની લોકલ ઇન્ડસ્ટ્રીના આગેવાનો સાથે પણ મુલાકાત યોજી તેમને ગુજરાતમાં રોકાણ માટે આકર્ષવામાં આવશે.’મુખ્યમંત્રી સાથે આ પ્રવાસમાં ઉચ્ચ અધિકારીઓ- સંજય પ્રસાદ(ACS) ખેતીવાડી અને કો-ઓપરેશન, ડેવલોપમેન્ટ કમિશ્નર અનોજ અગ્રવાલ, જળ સંપદા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી જે.પી. ગુપ્તા, પશુધન અને મત્સઉદ્યોગ વિભાગના સેક્રેટરી મોહમ્મદ શાહીદ, દિલ્હી ખાતે ગુજરાતના રેસિડેન્ટ કમિશ્નર આર્તી કંવર વગેરે પણ આ ડેલિગેશનમાં જોડાશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories