Sunday, September 6, 2026
HomeWorldપોર્ટુગલમાં ઈચ્છામૃત્યુને મંજૂરી અપાઈ : કાયદો બનાવાયો

પોર્ટુગલમાં ઈચ્છામૃત્યુને મંજૂરી અપાઈ : કાયદો બનાવાયો

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

18 વર્ષથી વધુ ઉંમરના વ્યકિત મદદ માંગી શકશે

અસહનીય પીડા અને ઈલાજ વગરની બીમારીથી પીડાતા માનસિક સ્વસ્થ લોકો નિર્ણય લઈ શકશે 

ઈચ્છામૃત્યુને લઈને અનેક દેશોમાં ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ, યુરોપીયન દેશ પોર્ટુગલની સંસદે ઈચ્છામૃત્યુને કાયદામાં પરિવર્તિત કર્યું છે. અહીં, ૧૮ વર્ષથી વધુ ઉંમરના વ્યકિતઓ મોત માટે સહાયતા માંગી શકે છે. પરંતુ, તે માટે તેમણે સરકાર દ્વારા મુકવામાં આવેલી શરતોનું પાલન કરવું પડશે. 

પોર્ટુગલમાં અનેક રાજ્કીય ચર્ચાઓ બાદ સંસદમાં ઈચ્છામૃત્યુને કાયદાના રૂપમાં મંજૂરી આપી દેવામાં આવી છે. આ કાયદામાં કહેવામાં આવ્યું છે કે, ફકત તે જ લોકો ઈચ્છામૃત્યુની માંગ કરી શકે છે જેઓ અસહનીય પીડા અને ઈલાજ વગરની બીમારીઓથી પીડાઈ રહ્યાં છે. પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસાએ આ કાયદાનો વિરોધ કર્યો હતો. 

રાષ્ટ્રપતિના વિરોધ વચ્ચે પણ દેશની જનતાનું સમર્થન હોવાને કારણે ઈચ્છામૃત્યુના કાયદાને પોર્ટુગલની સંસદમાં કાયદાકીય મંજૂરી મળી ગઈ છે. નવા કાયદા મુજબ, ૧૮ વર્ષથી વધુ ઉંમરના અસહનીય પીડા અને ઈલાજ વગરની બીમારીથી પીડાતા માનસિક રૂપથી સ્વસ્થ વ્યકિતઓ ઈચ્છામૃત્યુનો નિર્ણય લઈ શકે છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં પોર્ટુગલ સરકારે ઈચ્છામૃત્યુના કાયદાને ચાર વખત મંજૂરી આપી છે. પરંતુ, પોર્ટુગલના રાષ્ટ્રપતિ દ્વારા તેનો વિરોધ કરવામાં આવતા તેને સંવિધાનિક સમીક્ષા માટે મોકલી આપવામાં આવતું હતું. સંસદમાં બહુમત ધરાવતા સમાજવાદીઓેએ આ બિલનું સમર્થન કર્યું હતું.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here