Wednesday, October 2, 2024
HomeGujaratચોપડવા હાઇવે પર બન્યો ગંભીર બનાવ, છતાં બીજા દિવસે પણ ફરિયાદ ન...

ચોપડવા હાઇવે પર બન્યો ગંભીર બનાવ, છતાં બીજા દિવસે પણ ફરિયાદ ન નોંધાઈ

Date:

spot_img

Related stories

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...

મુખ્યમંત્રી આતિશી અધિકારીઓ સાથે દિલ્હીના રસ્તાઓ પર ઊતર્યા,દિવાળી પહેલા...

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના તૂટેલા...

એચ એન્ડ એમ અને અનામિકા ખન્નાએ પેલેડિયમ અમદાવાદ ખાતે...

શહેરના પ્રીમિયર શોપિંગ અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન, પેલેડિયમ અમદાવાદે પ્રખ્યાત...

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ચાર ટ્રકો એકબીજા સાથે અથડાતા અકસ્માત,...

રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર વધતી જતી જાય છે. ત્યારે...

સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી...

સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી...

કચ્છમાં સ્થાનિકોની રોજીરોટી છિનવાઇ રહી છે, CM કે મંત્રીઓ...

હાલ ભાજપના ધારાસભ્યોની કફોડી દશા છે. મત વિસ્તારના વિવિધ...
spot_img

ગાંધીધામ: ભચાઉનાં ચોપડા બ્રિજ પાસે મંગળવારે વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ વેન ટ્રેઈલરમાં ભરેલા લોખંડનાં સળિયા સાથે અથડાઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં સ્કૂલ વેનમાં સવાર વિદ્યાર્થીઓ માંથી ૮ ને ઈજાઓ પહોંચી હતી.જ્યારે ૧૫ વર્ષીય એક વિદ્યાર્થીનીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલો એક બાળક હજુએ ગંભીર હોવાનું પોલીસે જણાવ્યુ હતું. આ બનાવને ૨૪ કલાકથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં પોલીસની ઢીલી કામગીરી હોવાથી ફરિયાદ નોંધાઈ શકી ન હોવાનું સામે આવ્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર સ્કૂલવેન નં જીજે ૧૫ સીજી ૭૮૪૯નાં ચાલક રાબેતા મુજબ નંદગામ, નાની ચિરઈ અને ગોકુળગામમાંથી બે છાત્ર અને ૭ વિદ્યાર્થીનીઓને લઈ શાળાએ જવા રવાના થયા હતા.

દરમિયાન ભચાઉ – ગાંધીધામ નેશનલ હાઇવે પર સવારના ૭ વાગ્યાંનાં અરસામાં તેમને અકસ્માત નડયો હતો. જેમાં ટ્રેઇલર અને સ્કૂલવાનનાં અકસ્માતથી વિધાર્થીઓનાં ચીસોથી હાઇવે ગુંજી ઉઠયો હતો. ભચાઉ – ગાંધીધામ નેશનલ હાઇવે પર ચોપડવા બ્રિજ નજીક સ્કૂલવેનનાં ચાલકે સળિયા ભરેલા ટ્રેઈલર નં જીજે ૧૨ બીડબલ્યુ ૭૧૩૨ને ઓવરટેક કરવા જતા ટ્રેઈલરમાં ભરેલા સળિયા સાથે સ્કૂલ વાન ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત થતા સ્કૂલ વાન પલટી ખાઈ જતા સ્કૂલવેનમાં સવાર કુલ ૯ વિધાર્થીઓને ઈજાઓ પહોંચી હતી.આ અકસ્માતના બનાવમાં શાંતિબેન રબારી અને સાહીન ફકીર નામના વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં સારવાર દરમિયાન ૧૫ વર્ષીય શાંતિબેન રબારીનું મોત નીપજ્યું હતું. જ્યારે હાલની સ્થિતિએ સાહીન ગંભીર હાલતમાં જ સારવાર હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું હતું. તો બીજી તરફ ફરિયાદ હજુ સુધી કેમ નથી તેવું જાણવા ભચાઉ પોલીસના પી.આઈ.નો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ રાબેતા મુજબ તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. તો બીજી તરફ ભચાઉ પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે ફરિયાદ નોંધાવવા માટે સવારથી અનેક પ્રયત્નો કર્યા છે પરંતુ કોઈ ફરિયાદ નોંધાવવા આવતું જ ન હોવાથી હજુ સુધી ફરિયાદ નોંધાઈ શકી ન હતી.

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...

મુખ્યમંત્રી આતિશી અધિકારીઓ સાથે દિલ્હીના રસ્તાઓ પર ઊતર્યા,દિવાળી પહેલા...

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના તૂટેલા...

એચ એન્ડ એમ અને અનામિકા ખન્નાએ પેલેડિયમ અમદાવાદ ખાતે...

શહેરના પ્રીમિયર શોપિંગ અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન, પેલેડિયમ અમદાવાદે પ્રખ્યાત...

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ચાર ટ્રકો એકબીજા સાથે અથડાતા અકસ્માત,...

રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર વધતી જતી જાય છે. ત્યારે...

સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી...

સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી...

કચ્છમાં સ્થાનિકોની રોજીરોટી છિનવાઇ રહી છે, CM કે મંત્રીઓ...

હાલ ભાજપના ધારાસભ્યોની કફોડી દશા છે. મત વિસ્તારના વિવિધ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here