Sunday, July 26, 2026
HomeGujaratAhmedabadજગદીશ પંચાલે અભિનંદન પાઠવવામાં લોચો માર્યો, નાફેડ અને નાબાર્ડ વચ્ચેનો તફાવત ખબર...

જગદીશ પંચાલે અભિનંદન પાઠવવામાં લોચો માર્યો, નાફેડ અને નાબાર્ડ વચ્ચેનો તફાવત ખબર નથી!

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

અમદાવાદ : ગુલ્લીબાજ શિક્ષકોનેલઇને શિક્ષણ વિભાગ પર માછલાં ધોવાઇ રહ્યાં છે. આ મુદ્દાને કારણે શિક્ષણ વિભાગ જ નહીં, સરકારની આબરૂ ધૂળધાણી થઇ છે એનુ કારણ એ છે કે, શાળામાં શિક્ષકોની ગેરહાજરીને કારણે બાળકોના ભણતર પર કેવી અસર થઇ રહી છે તે મામલે વાલીઓ ચિંતિત છે. જયારે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે, ત્યારે ભાજપના ધારાસભ્યો લાજવાને બદલે ગાજી રહ્યાં હોય તેમ લાગી રહ્યુ છે. વિધાનસભા ગૃહમાં જયારે ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો ગાજ્યો ત્યારે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે વિદેશ પ્રવાસે ઉપડેલાં એકેય શિક્ષકને પગાર ચૂકવાયો નથી તેમ જાણે સિઘ્ધી મેળવી હોય તે રીતે જવાબ આપ્યો હતો. એ તો ઠીક, પણ ભાજપના ધારાસભ્ય પ્રવિણ માળીએ તો હદ કરી. તેમણે તો કહ્યું કે, વિદેશ પ્રવાસે ગયેલાં અને સતત ગેરહાજર રહેનારાં એકેય શિક્ષકને પગાર ચૂકવાયો નથી તે બદલ ભૂપેન્દ્ર પટેલની સરકારને ખુબ ખુબ અભિનંદન.ખુદ સહકાર મંત્રી જગદીશ પંચાલને જ નાફેડ અને નાબાર્ડ વચ્ચેનો તફાવત ખબર નથી. સહકારી બેંકોના મામલે વિપક્ષે બેન્ક ખાતા ખોલાવવા દબાણ કરવામાં આવી રહ્યુ છે તેવો આક્ષેપ કરતાં મંત્રી જગદીશ પંચાલે જવાબ આપવામાં જરાય કસર છોડી ન હતી પણ વિધાનસભા ઉપાઘ્યક્ષ જેઠા ભરવાડને અભિનંદન આપવામાં ભાંગરો વાટ્યો હતો.જગદીશ પંચાલે જેઠા ભરવાડને નાબાર્ડના ચેરમેન તરીકે નિયુક્તિ થતાં અભિનંદન પાઠવ્યા હતાં. જોકે, અઘ્યક્ષે ભૂલ સુધારી કહ્યુંકે, મંત્રી નાબાર્ડ નહી પણ નાફેડના ચેરમેન બન્યાં છે. આમ, મંત્રી જગદીશ પંચાલને નાબાર્ડ અને નાફેડ વચ્ચેના તફાવતનો ખ્યાલ રહ્યો નહીં. અભિનંદન આપવાના ઉત્સાહમાં મંત્રી પંચાલે લોચો માર્યો હતો. છેલ્લે…. પાંચ દલબદલુ ધારાસભ્યના આગમનને પગલે ગૃહની આખીય બેઠક વ્યવસ્થા બદલાઇ હતી. સિનિયોરિટીને ઘ્યાનમાં રાખી મોઢવાડિયા, સી.જે.ચાવડાને અઘ્યક્ષની સામેના ભાગે બેસાડવામાં આવ્યા હતાં જયારે અરવિદ લાડાણી, ધર્મેન્દ્રસિહ અને ચિરાગ પટેલને છેલ્લી હરોળમાં બેસાડવામાં આવ્યા હતાં.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here