બોલીવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત છેલ્લા ઘણા દિવસોથી વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચામાં છે, ત્યારે હવે તેની ફિલ્મ ‘ઈમર્જન્સી’ પણ વિવાદમાં આવી ગઈ છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ કહ્યું છે કે, જો ફિલ્મની રિલિઝ થવા દેવી હોય તો પહેલા SGPC પાસે મંજૂરી લેવી પડશે. પંજબના પૂર્વ મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાતચીતમાં સ્પષ્ટ કહ્યું છે કે, ‘જ્યાં સુધી કંગના રનૌતની ફિલ્મ ઈમર્જન્સીને એસજીપીસી એટલે કે શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટિ દ્વારા મંજૂર ન મળે, ત્યાં સુધી રિલિઝ થવા નહીં દેવાય. ફિલ્મમાં શિખ ઈતિહાસ વિશે કંઈપણ દેખાડવામાં આવી રહ્યું છે, તેથી રિલિઝ માટે એસજીપીસીની મંજૂરી લેવી જરૂરી છે. ફિલ્મ નિર્માતા અને કંગના રનૌતને સલાહ છે કે, તેઓ એસજીપીસી પાસે યોગ્ય સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ ફિલ્મ રિલિઝ કરે.’તેમણે એમ પણ કહ્યું કે, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં સાંપ્રદાયિક ભાઈચારો ખૂબ જ મહત્વનો અને તેને જાળવી રાખવો જરૂરી છે. તેમણે ફિલ્મ અંગે કંગનાને સલાહ આપી છે કે, તેઓ કોઈપણ વિવાદીત બાબતો પર ગંભીરતાથી ધ્યાન આપે. પંજાબનો ઈતિહાસ હિન્દુ, મુસ્લિમ, શિખ અને ઈસાઈ સમુદાય વચ્ચે પ્રેમ અને શાંતિનો છે અને અહીં રમખાણોની કોઈપણ ઘટના બની નથી.
કંગનાએ પંજાબમાં ‘ઈમર્જન્સી’ રિલીઝ થવા દેવી હોય તો આ શરત માને, પૂર્વ મુખ્યમંત્રીની ચેતવણી
Date: