Friday, June 5, 2026
HomeGujaratટેરિફની અસર: સુરતમાં રાતોરાત 100 રત્ન કલાકારોને છૂટા કરાયા

ટેરિફની અસર: સુરતમાં રાતોરાત 100 રત્ન કલાકારોને છૂટા કરાયા

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

સુરત: અમેરિકા દ્વારા આજથી ભારતીય નિકાસ પર ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે. જેના કારણે ભારતના અલગ અલગ સેક્ટરને તેની માઠી અસર પહોંચવાની છે. જેમાં સૌથી વધુ ડાયમંડ ઉદ્યોગ પ્રભાવિત થવાની શક્યતા રહેલી છે. ડાયમંડ ઉદ્યોગની કમર પડી ભાંગે તેવી ભીતિ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓએ વ્યક્ત કરી છે. આ વચ્ચે સુરતમાં એક ડાયમંડ કંપની દ્વારા કંપનીમાં કામ કરતાં સો જેટલા રત્ન કલાકારોને એકાએક છૂટા કરી દેવાયા હોવાની વાત સામે આવી છે. સુરત ડાયમંડ વર્કર યુનિયન અને છૂટા કરાયેલા રત્ન કલાકારોએ દાવો કરતાં જણાવ્યું છે કે કંપની પાસે કોઈ કામ ન હોવાના કારણે તેઓને નોટિસ આપ્યા વિના જ છૂટા કરી દેવામાં આવ્યા છે. જોકે ગ્રેજ્યુટી અને બોનસ આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરથી લઈને સંબંધિત વિભાગને રજૂઆત કરવામાં આવનાર છે.
અમેરિકાના ટેરિફ વોરને લઈ સુરતનો હીરા ઉદ્યોગ ચિંતિત બન્યો છે. વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે. આ વચ્ચે સુરતની એક ડાયમંડ કંપની દ્વારા રાતોરાત 100 જેટલા રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા છે. કતારગામ ખાતે આવેલી કાસાનગર સ્થિત ક્રિશ દિયામ નામની ડાયમંડ કંપની સામે આ ગંભીર આરોપ થયા છે. કંપનીમાંથી છૂટા કરાયેલા રત્ન કલાકારોએ જણાવ્યું છે કે કંપનીમાં અંદાજિત 250 થી 300 જેટલા રત્ન કલાકારો કામ કરે છે. છેલ્લા 15 – 15 વર્ષથી કામ કરતા રત્ન કલાકારોને નોટિસ આપ્યા વિના જ છુટા કરી દેવાયા છે. જેના કારણે ઘરખર્ચ, બાળકોના અભ્યાસનો ખર્ચ, ઘરના ભાડા સહિત મકાનના હપ્તા ભરવા જેવી ચિંતા સતાવી રહી છે. ઉપરાંત કંપની દ્વારા ગ્રેજ્યુટી અને બોનસ આપવામાં આવ્યું નથી. એક તરફ સામી દિવાળી છે અને બીજી તરફ રત્ન કલાકારોને આવા સંજોગોમાં છૂટા કરી દેવાતા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here