થલતેજ અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળા નંબર-૨માં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’માં ઉપસ્થિત રહેશે નાયબ મુખ્યમંત્રીશ્રી
રાજ્યવ્યાપી ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬’ અંતર્ગત આવતીકાલે તારીખ ૨૪ જૂન, ૨૦૨૬ના રોજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અમદાવાદમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’માં ઉપસ્થિત રહેશે.
થલતેજની અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળા નંબર-૨માં નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભિક્ષુક પરિવારના ૨૩ જેટલાં વંચિત બાળકોને વિધિવત રીતે શાળામાં પ્રવેશ કરાવીને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં ૨૫ જૂન સુધી ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અંતરિયાળ અને વંચિત વિસ્તારના તમામ બાળકો શત-પ્રતિશત નામાંકન મેળવી ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણનો લાભ લેતા થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અમદાવાદમાં ભિક્ષુક પરિવારના ૨૩ જેટલાં બાળકોને શાળા પ્રવેશ કરાવશે
Date:
