Monday, July 13, 2026
Homewriter's thoughtપરા અને અપરા પ્રકૃતિ આધીન જીવાત્મા નાં જીવનનો મુખ્ય ઉદ્દેશ રસ પ્રાપ્તિનો...

પરા અને અપરા પ્રકૃતિ આધીન જીવાત્મા નાં જીવનનો મુખ્ય ઉદ્દેશ રસ પ્રાપ્તિનો જ છે!

Date:

Related stories

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે ભારતીય લોકશાહીના 75 વર્ષ પર આધારિત ઐતિહાસિક પુસ્તક અને બે પિયર-રીવ્યુડ સંશોધન સામયિકોનું વિમોચન કર્યું

નવી દિલ્હી, 13 જુલાઈ: રાજ્યસભાના માનનીય ઉપસભાપતિ શ્રી હરિવંશે નવી દિલ્હીમાં સ્થિત પોતાના સત્તાવાર નિવાસસ્થાને “75 Years of Indian Democracy: The Indian Election...

ટ્રાઇબવાઇબ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ‘રંગ મોરલા’ની વાપસીની જાહેરાત; આદિત્ય ગઢવી ફરી 10 રાત સુધી અમદાવાદમાં સર્જશે નવરાત્રી નો જાદુ

~ રંગ મોરલા 2026 માટેની ટિકિટ્સ માત્ર બૂકમાયશો પર ઉપલબ્ધ થશે ~ અમદાવાદ, 13 જુલાઈ, 2026: ગયા વર્ષની નવરાત્રિ દરમિયાન અમદાવાદે એક અનોખા સાંસ્કૃતિક ઉત્સવનો અનુભવ કર્યો હતો, જ્યારે આદિત્ય ગઢવી એ સંગીત, ભક્તિ અને ઉત્સવના રંગોથી હજારો લોકોને સતત દસ રાત સુધી એકત્રિત કર્યા હતા. હવે આ જ અનુભવ વધુ ભવ્ય સ્વરૂપે પરત ફરી રહ્યો છે. ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટે આજે જાહેરાત કરી છે કે 'રંગ મોરલા ફીચરિંગ આદિત્ય ગઢવી' ની બીજી આવૃત્તિ 10 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર, 2026 દરમિયાન અમદાવાદમાં યોજાશે. તેની પ્રથમ આવૃત્તિની ઐતિહાસિક સફળતા બાદ, રંગ મોરલા 2026 વધુ મોટા વિઝન સાથે પરત ફરી રહ્યું છે. સંગીત, સંસ્કૃતિ, સમાજ અને ભક્તિને એકસાથે જોડતી આ ઉજવણીએ અમદાવાદમાં પોતાની ઓળખ એક પ્રીમિયમ નવરાત્રિ અનુભવ તરીકે સ્થાપિત કરી છે, જ્યાં દર્શકોને સતત દસેય રાત એક જ સ્થળે અનોખી અને યાદગાર ઉજવણીનો અનુભવ મળે છે. આ સમગ્ર અનુભવના કેન્દ્રમાં ફરી એકવાર લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવી રહેશે, જે દસેય રાત એક જ સ્થળે લાઇવ પરફોર્મ કરશે. આ વિશિષ્ટ આયોજન દર્શકોને દરરોજ એકસરખી ઊર્જા અને જોડાણ સાથે નવરાત્રિની ઉજવણીનો ભાગ બનવાની અનોખી તક આપશે. રંગ મોરલાની આગવી ઓળખને ધ્યાનમાં રાખીને ડેકોર, પ્રોડક્શન ડિઝાઇન, કાર્યક્રમો અને આતિથ્ય સહિતની દરેક બાબતનું આયોજન વિશ્વસ્તરીય અનુભવ સાથે ગુજરાતી પરંપરાની ઝાંખી કરાવતું રહેશે. લાઇવ સંગીત ઉપરાંત, રંગ મોરલા સમગ્ર પરિવાર માટે સંપૂર્ણ નવરાત્રી અનુભવ પ્રદાન કરશે. સમગ્ર સ્થળે કોઈ પ્રતિબંધિત ડાન્સ ઝોન નહીં હોય, જેથી દરેક વ્યક્તિ ખુલ્લા મનથી ગરબાનો આનંદ માણી શકશે. ઉપરાંત, વિશેષ પ્રીમિયમ હોસ્પિટાલિટી અને એક્સક્લુઝિવ સુવિધાઓ એવા મહેમાનો માટે ઉપલબ્ધ રહેશે, જેઓ નવરાત્રિની ઉજવણી ને વધુ વિશિષ્ટ રીતે માણવા ઇચ્છે છે. વધુ ભવ્ય પ્રોડક્શન, વિશાળ સ્તરના અનુભવ અને સંસ્કૃતિ તથા સમુદાય પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે રંગ મોરલા 2026 ફરી એકવાર નવા માપદંડ સ્થાપિત કરવાનો સંકલ્પ ધરાવે છે અને અમદાવાદના સૌથી આતુરતાથી રાહ જોવાતા તહેવારી આયોજનોમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવશે. આ પ્રસંગે આદિત્ય ગઢવીએ જણાવ્યું હતું કે, "નવરાત્રી એ આપણી ઓળખ, આપણી ખુશી અને આપણી ભક્તિ છે. 'રંગ મોરલા' મારા માટે તે લોકો અને સંસ્કૃતિને પરત આપવાનો પ્રયાસ છે, જેમણે મને ઘડ્યો છે. ગયા વર્ષે મળેલા અદભૂત પ્રેમે તેને મારા જીવનના સૌથી યાદગાર અનુભવોમાંનું એક બનાવ્યું. અમદાવાદમાં હું ક્યારેય એકલો ગાતો નથી, હજારો અવાજો મારી સાથે ગાય છે. 'રંગ મોરલા'ની બીજી આવૃત્તિ સાથે પાછા આવવું એટલે ઘર પરત ફરવા જેવું છે. આ અમદાવાદ, ગુજરાત અને દરેક નવરાત્રિપ્રેમી માટે મારી શ્રદ્ધાંજલિ છે. આ વર્ષે અમે દર્શકોને તેમની મનપસંદ દરેક બાબત સાથે વધુ ઘણું આપવા જઈ રહ્યા છીએ." ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટના સ્થાપક અને સીઈઓ શોવેન શાહે જણાવ્યું હતું કે, "'રંગ મોરલા'ની શરૂઆત એક સરળ વિચાર સાથે થઈ હતી કે નવરાત્રી ના દર્શકો પરંપરાની મૂળભૂત ભાવનાને જાળવી રાખતા વિશ્વસ્તરીય આયોજનનો અનુભવ ઇચ્છે છે. પ્રથમ આવૃત્તિને મળેલા જબરદસ્ત પ્રતિસાદે આ વિચારને સાચો સાબિત કર્યો અને અમદાવાદે તેને જે પ્રેમ આપ્યો તે અમારે માટે પ્રેરણાદાયી રહ્યો. આ વર્ષે અમે વધુ ભવ્ય પ્રોડક્શન, વધુ સમૃદ્ધ દર્શક અનુભવ અને ફરી એકવાર આદિત્ય ગઢવીને દસેય રાત લાઇવ પરફોર્મ કરાવતા એક અનોખા અનુભવ સાથે પરત ફરી રહ્યા છીએ. ટ્રાઇબવાઇબમાં અમે નવીનતા દ્વારા લાઇવ એન્ટરટેઇનમેન્ટ ને નવી ઊંચાઈએ પહોંચાડવાની સાથે ભારતની સાંસ્કૃતિક પરંપરાઓને ઉજાગર કરવા પ્રતિબદ્ધ છીએ અને 'રંગ મોરલા' એ જ ભાવનાનું પ્રતિબિંબ છે." દસ રાત. એક અવાજ. નવરાત્રિનું એક અનોખું સરનામું.રંગ મોરલા 2026 માટેની ટિકિટ્સ માત્ર બૂકમાયશો પર ઉપલબ્ધ થશે. ગુજરાતના સૌથી પ્રિય તહેવારને એક નવા અંદાજમાં માણવા માટે તૈયાર રહો.

મંડળ રેલ પ્રબંધક દ્વારા ધોળા–પોરબંદર રેલખંડ તથા પોરબંદર સ્ટેશનનું...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) શ્રી...

રેડબસ દ્વારા ભારત પ્રવાસ એવોર્ડ્સ 2026માં પીપલ્સ ચોઇસ એવોર્ડ્સના...

આ પ્રસંગે માનનીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી...

ટેરોટ રીડર પુનિત જી. લુલ્લાને ‘એક્સલન્સ ઇન ઇન્ટ્યુઇટિવ ટેરોટ ઇન્ટરપ્રિટેશન’ માટે...

અમદાવાદ :- જાણીતા ઇન્ટ્યુઇટિવ ટેરોટ રીડર, એનર્જી હીલર અને આધ્યાત્મિક માર્ગદર્શક પુનિત...

સદગુરુ કૃપા હી કેવલમ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- ચિંતનની ક્ષણે.
મિત્રો- શુભ સવાર.

પરા અને અપરા પ્રકૃતિ આધીન જીવાત્મા નાં જીવનનો મુખ્ય ઉદ્દેશ રસ પ્રાપ્તિનો જ છે!

હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. નિત્ય પ્રભાતે વ્હેતી ચિંતનની ધારા માટે ખૂબ બધાં પ્રતિભાવો આવે છે,ખાસ કરીને અહોભાવ હોય. મુખ્યત્વે બહેન તમે બહુ સરસ લખો‌ છો! અમે નિયમિત વાંચીએ છીએ, ખૂબ આનંદ આવે છે. હવે પ્રતિકાત્મક રીતે આ વાતને વિચારીએ! તો ચિંતન શું ખાલી આટલાં માટે જ લખાય છે? ચિંતન સમાજમાં પડઘાતી હિંસાત્મક અશાંતિ બંધ કરવા માટે પ્રત્યેક વ્યક્તિનાં જાગરણનાં હેતુંથી લખાય છે! એટલે કે સદગુરુ આપણી સામે દર્પણ રાખે છે, અને આપણાં વિકૃત થતાં માનસને સમયસર સુધારવા માટેની આ જ યોગ્ય તક છે, એવું સૂચવે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે લખાણ માત્ર વખાણવા માટે નથી, કંઈક બોધ ગ્રહણ કરવા માટે છે.બીજું પ્રશ્નો પણ ખૂબ આવે છે, કે શાસ્ત્રો આમ કહે છે! કે તેમ‌ કહે છે! એટલે કે મનુષ્ય નિમિત્ત માત્ર છે, છતાં આપણે કર્મ બંધનની જાળમાં શું કામ ફસાઈએ છીએ! સર્વ પ્રથમ આ લેખ કેવળ સદગુરુ કૃપાના બળનું કારણ છે! એમાં લેખિકા પોતે વિદ્વાન છે, એવો કોઈ દાવો નથી! છતાં ક્યારેક સમજાય એવું ઉદાહરણ આપી સમજાવ્યું હોય, એનો મતલબ એવો નથી કે બહેનને બધી જ ખબર હોય! આજે મંગળવાર એટલે કે ગીતા જ્ઞાનનો દિવસે ભગવત્ ગીતાનાં સાતમા અધ્યાયનો ચોથા અને પાંચમા શ્લોકનું ચિંતન કરીશું. ગીતાનાં જ્ઞાન પર આજે સદગુરુ કૃપા જુદી રીતે પ્રકાશ પાથરશે!

ભૂમિરાપોઽનલો વાયુઃ ખં મનો બુદ્ધિરેવ ચ।
અહંકાર ઇતીયં મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા॥ ૪॥

અપરેયમિતસ્ત્વન્યાં પ્રકૃતિં વિદ્ધિ મે પરામ્।
જીવભૂતાં મહાબાહો યયેદં ધાર્યતે જગત્॥ ૫॥

પૃથ્વી, જળ, અગ્નિ વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અને અહંકાર, આ પ્રમાણે આ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે, આ આઠ પ્રકારનો ભેદ તો અપરા એટલે કે મારી જડ પ્રકૃતિ છે, અને હે મહાબાહો આના સિવાયની જે છે, કે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે, એને મારી જીવરૂપાપરા એટલે કે ચેતન પ્રકૃતિ તરીકે તું ઓળખ.

ભગવાન શ્રી કૃષ્ણ એ આ રીતે પરમ તત્વનાં ગુણ ભેદનુ વિશ્લેષણ કર્યું અને કહ્યું કે પ્રત્યેક જીવ વ્યક્તિગત કે સામુહિક રીતે અકર્તા છે! હવે એનાથી પણ સુક્ષ્મ સ્તરે એટલે પ્રત્યેક જીવમાં આત્મા રુપે અવિનાશી તત્વ છે! તો શું એ પણ આ આઠ જડ પ્રકૃતિ મુજબ જીવન જીવવા સ્વતંત્ર છે? કે પછી એની માટે સ્વતંત્રતા અને પરતંત્રતા નો શું અર્થ કરીશું?

આ આઠેય પ્રકૃતિ મળીને સમગ્ર ભૌતિક જગતનું નિર્માણ કરે છે. શરીર અને દુનિયામાં જે કંઈ દેખાય છે તે, આ અષ્ટધા પ્રકૃતિમાંથી બનેલું છે. હજી વધુ સૂક્ષ્મ રીતે સમજાવે છે કે શરીર, મન, બુદ્ધિ અને અહંકાર પણ આત્મા નથી; તે ભગવાનની જડ એટલે કે અપરા શક્તિના ભાગરૂપ છે.સાધક જ્યારે સમજે છે કે “હું શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી કે અહંકાર નથી, હું તો ચૈતન્ય સ્વરૂપ આત્મા છું,” ત્યારે આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થાય છે. પાંચમા શ્લોકમાં કહે છે, હે મહાબાહુ અર્જુન! આ આઠ જડ પ્રકૃતિ ઉપરાંત મારી બીજી પરા એટલે ચેતન પ્રકૃતિ છે, જે જીવાત્મા છે. આ જીવાત્માના કારણે જ સમગ્ર જગત ટકી રહ્યું છે અને કાર્ય કરે છે! આમ જડ અને ચેતન વચ્ચેનો સ્પષ્ટ ભેદ સમજાવે છે.

પરંતુ જીવ હજી પરા અને અપરા શકિતનો ભેદ સમજી શકતો નથી, માટે એને પ્રશ્ન થાય છે કે, પ્રત્યેક જીવમાં પરા અને અપરા પ્રકૃતિથી બનેલ અવિનાશી આત્મ તત્વ છે, તો શું જીવ ની એ અષ્ઠ પ્રકૃતિ સ્વતંત્ર છે કે પછી પરતંત્ર?

અવિનાશી આત્મા અષ્ટપ્રકૃતિથી બનેલો નથી. અષ્ટપ્રકૃતિ તો જડ છે, જ્યારે આત્મા ચેતન છે. જીવાત્મા અપરા પ્રકૃતિનો ઉપયોગ કરીને એટલે કે પંચ પ્રાણનો ઉપયોગ કરીને શરીર અને મન દ્વારા કાર્ય કરે છે. ગીતા અનુસાર અપરા પ્રકૃતિ સંપૂર્ણપણે પરતંત્ર છે. તે પોતાની મેળે કાર્ય કરતી નથી. તેને ચલાવનાર બે તત્ત્વ છે:
જીવાત્મા એટલે કે પરા પ્રકૃતિ રુપે શરીરને ચેતના આપે છે. પરમાત્મા જ સમગ્ર પ્રકૃતિનાં સર્વોચ્ચ નિયંતા છે. પરંતુ આપણો પ્રશ્ન જીવાત્મા સ્વતંત્ર છે કે પરતંત્ર? જીવાત્મા પૂર્ણ સ્વતંત્ર નથી, કે
સંપૂર્ણ પરાધીન પણ નથી.એટલે કે જીવ કર્મનો નિર્ણય લઈ શકે છે,પરંતુ કર્મનું ફળ, પ્રકૃતિનાં નિયમો, જન્મ-મરણ વગેરે તેનાં સંપૂર્ણ નિયંત્રણમાં નથી. આ બધું ઈશ્વરના નિયમ હેઠળ ચાલે છે.

દરેક જીવ વેદ સમજી શકે નહીં, એટલે વેદાંત એની જગ્યાએ છે, એટલે કે વાસ્તવિકતા ગમે તે હોય એનો વ્યવહારિક દ્રષ્ટિકોણ શું છે? સદગુરુ આપણને કંઈક જુદી રીતે સમજાવે છે, દાખલા તરીકે બીજને માટીમાં દાટવું એટલું જીવાત્મા કરી શકે, પણ એને અંકુરિત કરવું કે નહીં એ પરમાત્માનો નિર્ણય છે! હજી વધુ સૂક્ષ્મ જઈએ તો પ્રાથમિક અનૂકૂલન મળતાં અંકુરિત થવું, એ માત્ર જૈવિક વૃદ્ધિ છે, અને જે ફળ ફૂલ સુધી સિમિત છે. પરંતુ રસની વૃદ્ધિનો મામલો પરમાત્માનો છે! સદગુરુના બોધ
રુપેનો આ વિચાર ભારતીય દર્શનની મૂળ પરંપરાઓમાં ની એક છે, કે જીવનો પ્રયત્ન એટલે કે શ્રમ પછી તે વ્યવહારિક હોય કે આધ્યાત્મિક યાત્રાનું પરિણામ, પરમાત્માની કૃપા શક્તિ પર આધારિત છે. આ દ્રષ્ટિએ જોવામાં આવે તો કર્મ જીવ કરે છે, પરંતુ કર્મની સિદ્ધિ અનેક પરિબળો પર આધારિત છે, જેમાં ઈશ્વરીય વ્યવસ્થા પણ આવે છે. ભગવદ્ ગીતા મુજબ મનુષ્ય એકમાત્ર કર્તા નથી; કાર્યની સિદ્ધિ માટે અનેક કારણો કાર્યરત હોય છે.

જો “રસ”નો અર્થ વનસ્પતિનો જીવન રસ છે, તો વિજ્ઞાન વૃદ્ધિ સાબિત કરશે, આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રશ્ન થાય છે કે આ જૈવિક નિયમોને ચલાવતું મૂળ ચૈતન્ય અને વ્યવસ્થા ક્યાંથી આવી?ત્યાં ઈશ્વરનું તત્ત્વ આવે છે. પણ “રસ”નો અર્થ જીવનની ચેતના, સૌંદર્ય, આનંદ અથવા દૈવી પ્રાણશક્તિ લઈએ, તો આ વાત ઉપનિષદોમાં પણ કહી છે. માત્ર રસાયણોથી જીવનનો અનુભવ સમજાવી શકાતો નથી; તેમાં ચૈતન્ય કાર્યરત છે, અને ગીતા પણ સતત એવો સંદેશ આપે છે કે, જીવ પ્રયત્ન કરી શકે છે, પરંતુ પ્રયત્નને ફળદાયી બનાવતી સર્વવ્યાપી શક્તિ પરમાત્માની છે. તેથી જ મનુષ્યને કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ પરિણામ પર અધિકાર નથી. સદગુરુ કહે છે કે “રસ” એટલે, દૈવી આનંદ અને શાંતિ પ્રાપ્ત કરતી પૂર્ણતાને સિદ્ધ કરતું ચૈતન્ય. જીવ પુરુષાર્થ કરી શકે છે, પરંતુ દૈવી આનંદ ઉત્પન્ન કરી શકતો નથી. તે સાધના કરી શકે, અહંકાર ઓગાળી મનને શુદ્ધ કરી શકે, ભક્તિ થકી આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. પરંતુ પરમ પૂર્ણતા શાંતિ, અને આનંદનાં અનુભવનું મૂળ પરમાત્મા છે. ભારતીય શાસ્ત્રોમાં પણ “રસ” એટલે સ્વાદ નહીં, પણ ઉપનિષદોમાં પરમ તત્ત્વને “રસો વૈ સઃ” તે પરમાત્મા જ રસ છે, એમ કહેવામાં આવ્યું છે. એટલે કે પરમાત્મા જ આનંદનું મૂળ સ્વરૂપ છે. દૈવી આનંદ માત્ર મનનાં પ્રયત્નથી ઉત્પન્ન થતો પદાર્થ નથી. તે મન શાંત થાય, અહંકાર ઓગળે અને પરમાત્મા સાથેનો સંબંધ પ્રગટ થાય ત્યારે અનુભવાય છે. જેમ કે સૂર્ય હંમેશાં પ્રકાશ આપે છે, પરંતુ જો બારી બંધ હોય, તો પ્રકાશ ઘરમાં પ્રવેશતો નથી. સૂર્યએ પ્રકાશ રોક્યો નથી; બારી ખોલવી કે ન ખોલવી એટલી સ્વતંત્રતા જીવને છે, અને એ રીતે પરમાત્માનો આનંદ સર્વત્ર છે. પરંતુ તેને અનુભવવા માટેની શુદ્ધ અંતઃકરણ રુપે બારી ખોલવી અવશ્ય છે. રસનું મૂળ પરમાત્મા છે, પરંતુ રસનો અનુભવ જીવની આંતરિક તૈયારીથી પ્રગટ થાય છે. તો પરા અને અપરા પ્રકૃતિ આધીન જીવાત્માના જીવનનો મુખ્ય ઉદ્દેશ રસ પ્રાપ્તિનો જ છે, પણ આપણે ભોગને રસ સમજી લીધો છે, અને એટલે મૂળ રસથી દૂર છીએ ! આ સત્યને અનુસરીને મૂળ રસ પ્રાપ્ત કરી શકીએ‌ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારાં શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.

 લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે ભારતીય લોકશાહીના 75 વર્ષ પર આધારિત ઐતિહાસિક પુસ્તક અને બે પિયર-રીવ્યુડ સંશોધન સામયિકોનું વિમોચન કર્યું

નવી દિલ્હી, 13 જુલાઈ: રાજ્યસભાના માનનીય ઉપસભાપતિ શ્રી હરિવંશે નવી દિલ્હીમાં સ્થિત પોતાના સત્તાવાર નિવાસસ્થાને “75 Years of Indian Democracy: The Indian Election...

ટ્રાઇબવાઇબ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ‘રંગ મોરલા’ની વાપસીની જાહેરાત; આદિત્ય ગઢવી ફરી 10 રાત સુધી અમદાવાદમાં સર્જશે નવરાત્રી નો જાદુ

~ રંગ મોરલા 2026 માટેની ટિકિટ્સ માત્ર બૂકમાયશો પર ઉપલબ્ધ થશે ~ અમદાવાદ, 13 જુલાઈ, 2026: ગયા વર્ષની નવરાત્રિ દરમિયાન અમદાવાદે એક અનોખા સાંસ્કૃતિક ઉત્સવનો અનુભવ કર્યો હતો, જ્યારે આદિત્ય ગઢવી એ સંગીત, ભક્તિ અને ઉત્સવના રંગોથી હજારો લોકોને સતત દસ રાત સુધી એકત્રિત કર્યા હતા. હવે આ જ અનુભવ વધુ ભવ્ય સ્વરૂપે પરત ફરી રહ્યો છે. ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટે આજે જાહેરાત કરી છે કે 'રંગ મોરલા ફીચરિંગ આદિત્ય ગઢવી' ની બીજી આવૃત્તિ 10 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર, 2026 દરમિયાન અમદાવાદમાં યોજાશે. તેની પ્રથમ આવૃત્તિની ઐતિહાસિક સફળતા બાદ, રંગ મોરલા 2026 વધુ મોટા વિઝન સાથે પરત ફરી રહ્યું છે. સંગીત, સંસ્કૃતિ, સમાજ અને ભક્તિને એકસાથે જોડતી આ ઉજવણીએ અમદાવાદમાં પોતાની ઓળખ એક પ્રીમિયમ નવરાત્રિ અનુભવ તરીકે સ્થાપિત કરી છે, જ્યાં દર્શકોને સતત દસેય રાત એક જ સ્થળે અનોખી અને યાદગાર ઉજવણીનો અનુભવ મળે છે. આ સમગ્ર અનુભવના કેન્દ્રમાં ફરી એકવાર લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવી રહેશે, જે દસેય રાત એક જ સ્થળે લાઇવ પરફોર્મ કરશે. આ વિશિષ્ટ આયોજન દર્શકોને દરરોજ એકસરખી ઊર્જા અને જોડાણ સાથે નવરાત્રિની ઉજવણીનો ભાગ બનવાની અનોખી તક આપશે. રંગ મોરલાની આગવી ઓળખને ધ્યાનમાં રાખીને ડેકોર, પ્રોડક્શન ડિઝાઇન, કાર્યક્રમો અને આતિથ્ય સહિતની દરેક બાબતનું આયોજન વિશ્વસ્તરીય અનુભવ સાથે ગુજરાતી પરંપરાની ઝાંખી કરાવતું રહેશે. લાઇવ સંગીત ઉપરાંત, રંગ મોરલા સમગ્ર પરિવાર માટે સંપૂર્ણ નવરાત્રી અનુભવ પ્રદાન કરશે. સમગ્ર સ્થળે કોઈ પ્રતિબંધિત ડાન્સ ઝોન નહીં હોય, જેથી દરેક વ્યક્તિ ખુલ્લા મનથી ગરબાનો આનંદ માણી શકશે. ઉપરાંત, વિશેષ પ્રીમિયમ હોસ્પિટાલિટી અને એક્સક્લુઝિવ સુવિધાઓ એવા મહેમાનો માટે ઉપલબ્ધ રહેશે, જેઓ નવરાત્રિની ઉજવણી ને વધુ વિશિષ્ટ રીતે માણવા ઇચ્છે છે. વધુ ભવ્ય પ્રોડક્શન, વિશાળ સ્તરના અનુભવ અને સંસ્કૃતિ તથા સમુદાય પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે રંગ મોરલા 2026 ફરી એકવાર નવા માપદંડ સ્થાપિત કરવાનો સંકલ્પ ધરાવે છે અને અમદાવાદના સૌથી આતુરતાથી રાહ જોવાતા તહેવારી આયોજનોમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવશે. આ પ્રસંગે આદિત્ય ગઢવીએ જણાવ્યું હતું કે, "નવરાત્રી એ આપણી ઓળખ, આપણી ખુશી અને આપણી ભક્તિ છે. 'રંગ મોરલા' મારા માટે તે લોકો અને સંસ્કૃતિને પરત આપવાનો પ્રયાસ છે, જેમણે મને ઘડ્યો છે. ગયા વર્ષે મળેલા અદભૂત પ્રેમે તેને મારા જીવનના સૌથી યાદગાર અનુભવોમાંનું એક બનાવ્યું. અમદાવાદમાં હું ક્યારેય એકલો ગાતો નથી, હજારો અવાજો મારી સાથે ગાય છે. 'રંગ મોરલા'ની બીજી આવૃત્તિ સાથે પાછા આવવું એટલે ઘર પરત ફરવા જેવું છે. આ અમદાવાદ, ગુજરાત અને દરેક નવરાત્રિપ્રેમી માટે મારી શ્રદ્ધાંજલિ છે. આ વર્ષે અમે દર્શકોને તેમની મનપસંદ દરેક બાબત સાથે વધુ ઘણું આપવા જઈ રહ્યા છીએ." ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટના સ્થાપક અને સીઈઓ શોવેન શાહે જણાવ્યું હતું કે, "'રંગ મોરલા'ની શરૂઆત એક સરળ વિચાર સાથે થઈ હતી કે નવરાત્રી ના દર્શકો પરંપરાની મૂળભૂત ભાવનાને જાળવી રાખતા વિશ્વસ્તરીય આયોજનનો અનુભવ ઇચ્છે છે. પ્રથમ આવૃત્તિને મળેલા જબરદસ્ત પ્રતિસાદે આ વિચારને સાચો સાબિત કર્યો અને અમદાવાદે તેને જે પ્રેમ આપ્યો તે અમારે માટે પ્રેરણાદાયી રહ્યો. આ વર્ષે અમે વધુ ભવ્ય પ્રોડક્શન, વધુ સમૃદ્ધ દર્શક અનુભવ અને ફરી એકવાર આદિત્ય ગઢવીને દસેય રાત લાઇવ પરફોર્મ કરાવતા એક અનોખા અનુભવ સાથે પરત ફરી રહ્યા છીએ. ટ્રાઇબવાઇબમાં અમે નવીનતા દ્વારા લાઇવ એન્ટરટેઇનમેન્ટ ને નવી ઊંચાઈએ પહોંચાડવાની સાથે ભારતની સાંસ્કૃતિક પરંપરાઓને ઉજાગર કરવા પ્રતિબદ્ધ છીએ અને 'રંગ મોરલા' એ જ ભાવનાનું પ્રતિબિંબ છે." દસ રાત. એક અવાજ. નવરાત્રિનું એક અનોખું સરનામું.રંગ મોરલા 2026 માટેની ટિકિટ્સ માત્ર બૂકમાયશો પર ઉપલબ્ધ થશે. ગુજરાતના સૌથી પ્રિય તહેવારને એક નવા અંદાજમાં માણવા માટે તૈયાર રહો.

મંડળ રેલ પ્રબંધક દ્વારા ધોળા–પોરબંદર રેલખંડ તથા પોરબંદર સ્ટેશનનું...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) શ્રી...

રેડબસ દ્વારા ભારત પ્રવાસ એવોર્ડ્સ 2026માં પીપલ્સ ચોઇસ એવોર્ડ્સના...

આ પ્રસંગે માનનીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી...

ટેરોટ રીડર પુનિત જી. લુલ્લાને ‘એક્સલન્સ ઇન ઇન્ટ્યુઇટિવ ટેરોટ ઇન્ટરપ્રિટેશન’ માટે...

અમદાવાદ :- જાણીતા ઇન્ટ્યુઇટિવ ટેરોટ રીડર, એનર્જી હીલર અને આધ્યાત્મિક માર્ગદર્શક પુનિત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here