Thursday, July 23, 2026
HomeGujaratભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં 24મી જુલાઇએ તમામ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં 24મી જુલાઇએ તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITIમાં રજા જાહેર

Date:

Related stories

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

કૃપા જ્યારે દ્રવીભૂત થાય છે,ત્યારે કરુણા બને છે.

જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી...

રાજપીપલા,તા 23
નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તા. 24 જુલાઈ, 2026 (શુક્રવાર)ના રોજ નર્મદા જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો, સરકારી તથા ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો તેમજ ITI સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવે છે. જો કે, શૈક્ષણિક કાર્યમાં સતતતા જળવાઈ રહે તે માટે સંબંધિત શૈક્ષણિક સંસ્થાઓ ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલુ રાખી શકશે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને પણ અનિવાર્ય કારણ સિવાય બહાર ન નીકળવા, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં અવરજવર ટાળવા તેમજ વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે.

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

કૃપા જ્યારે દ્રવીભૂત થાય છે,ત્યારે કરુણા બને છે.

જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here