Friday, June 5, 2026
HomeGujaratAhmedabadરેપ અને હત્યાના પ્રકરણમાં આરોપીને ૩૦ વર્ષની સજા

રેપ અને હત્યાના પ્રકરણમાં આરોપીને ૩૦ વર્ષની સજા

Date:

Related stories

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

વટવાથી સાબરમતી રેલવે સ્ટેશન સુધી રેલવે કર્મચારીઓ કરશે વૃક્ષારોપણ,...

વૃક્ષારોપણ, સ્વચ્છતા, જળ-ઊર્જા સંરક્ષણ અને પ્લાસ્ટિક ઉન્મૂલન પર રહ્યું...

યાત્રી સેવા માં પશ્ચિમ રેલવેની અનોખી પહેલ: ડીઆરએમે ‘સ્વર્ણ...

ટ્રેનમાં 100થી વધુ મુસાફરોને મળીને જમીની પ્રતિસાદ લીધો રેલ સેવાઓમાં...

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

હાઇકોર્ટે આરોપીને નીચલી કોર્ટે ફટકારેલી ફાંસીની સજા ઘટાડી ઃ માફ નહીં થાય તે પ્રકારે ૩૦ વર્ષની સજા ફટકારી

અમદાવાદ, તા.૨૧
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સઇ ગામે જૂન-૨૦૧૨માં છ વર્ષના આશરાની એક ગરીબ બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક અતિમહત્વપૂર્ણ ચુકાદામાં આરોપી દેવા ધના કોળીને ૩૦ વર્ષની કેદની આકરી સજા ફટકારી છે. જા કે, હાઇકોર્ટે આરોપીને નીચલી કોર્ટે ફટકારેલી ફાંસીની સજા ઘટાડી હતી અને તેને મૃત્યુદંડને બદલે ૩૦ વર્ષની આકરી સજા પણ તેના સારા ચાલચલન કે વર્તણૂંકના કિસ્સામાં પણ માફ ના થાય તે પ્રકારે ભોગવવાનો મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. કચ્છ-અંજાર સેશન્સ કોર્ટે આરોપીને ફટકારેલી ફાંસીની સજાના કન્ફર્મેશન કેસ અને આરોપી તરફથી સજાને પડકારતી કરાયેલી અપીલ એમ બંનેની સુનાવણી બાદ જÂસ્ટસ હર્ષાબહેન દેવાણી અને જÂસ્ટસ વી.બી.માયાણીની ખંડપીઠે આ ચુકાદો જાહેર કર્યો હતો. સમગ્ર કચ્છ પંથક સહિત રાજયભરમાં ખળભળાટ જગાવના એવા આ કેસમાં પ્રોસીકયુશન સાથે ફરિયાદ પક્ષ તરફથી મહત્વની દલીલો કરતાં એડવોકેટ મેહુલ મહેતાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સઇ ગામ ખાતે પાદર પાસે ભોગ બનનાર છ વર્ષના આશરાની બાળકી તેની બહેનપણીઓ સાથે રમી રહી હતી ત્યારે આરોપી દેવા ધના કોળી ત્યાં આવ્યો હતો અને બીજી બધી બાળકીઓને ધમકાવી ત્યાંથી કાઢી મૂકી હતી અને તે પીડિત બાળકીને ત્યાંથી નજીકની સીમમાં લઇ ગયો હતો. જયાં તેણે માસૂમ બાળકી પર બેરહમીથી દુષ્કર્મ ગુજારી બાદમાં તેની હત્યા કરી દીધી હતી. આ વાતની જાણ પીડિત બાળકીના દાદાને થતાં તેઓ ગામના માણસોને લઇ ચીથરીયા વાડીની સીમમાં જઇ જાતાં બાળકી લોહીલુહાણ હાલતમાં પડેલી હતી અને તેના ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ થયેલી હતી. જેથી તેમણે આ સમગ્ર મામલે રાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી તરફથી એડવોકેટ મેહુલ મહેતાએ હાઇકોર્ટનું ખાસ ધ્યાન દોર્યું હતું કે, આરોપી ખૂબ જ ગંભીર પ્રકારના અને સમાજમાં ફિટકારની લાગણી જન્માવતાં અત્યંત ઘૃણાસ્પદ દુષ્કર્મ અને નિર્દોષ માસૂમ બાળકીની હત્યાના કેસમાં સંડોવાયેલો છે. આ એક રેરેસ્ટ ઓફ ધ રેર કેસની વ્યાખ્યામાં આવતો કેસ હોઇ હાઇકોર્ટે આરોપીને આકરામાં આકરી સજા ફટકારવી જાઇએ. વળી, આરોપીનો ભૂતકાળ પણ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. તે ચેઇન સ્નેચીંગ, ચોરી, ખૂનની કોશિશ સહિતના અન્ય ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો છે અને તે ગુનાહીત માનસિકતા ધરાવે છે ત્યારે આવા રીઢા ગુનેગારોના આ અતિગંભીર ગુનાને કોર્ટે હળવાશથી લેવો જાઇએ નહી. નીચલી કોર્ટે આરોપીને ફટકારેલી ફાંસીની સજા બિલકુલ યોગ્ય અને કાયમ રહેવાને પાત્ર ઠરે છે. હાઇકોર્ટે તમામ પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ આરોપી દેવા ધના કોળીની ફાંસીની સજા ઘટાડી હતી પરંતુ તેને ૩૦ વર્ષની આકરી કેદની સજા ફટકારી હતી. હાઇકોર્ટે એવી પણ સ્પષ્ટ તાકીદ કરી હતી કે, આરોપીને ૩૦ વર્ષની આકરી કેદની સજામાં તે સારી ચાલચલન કે વર્તણૂંક દાખવે તોય માફી નહી મળી શકે. હાઇકોર્ટે આવી કડક અને સ્પષ્ટ તાકીદ સાથે આરોપી દેવા ધના કોળીને ૩૦ વર્ષની આકરી કેદની સજા ફટકારી હતી.

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

વટવાથી સાબરમતી રેલવે સ્ટેશન સુધી રેલવે કર્મચારીઓ કરશે વૃક્ષારોપણ,...

વૃક્ષારોપણ, સ્વચ્છતા, જળ-ઊર્જા સંરક્ષણ અને પ્લાસ્ટિક ઉન્મૂલન પર રહ્યું...

યાત્રી સેવા માં પશ્ચિમ રેલવેની અનોખી પહેલ: ડીઆરએમે ‘સ્વર્ણ...

ટ્રેનમાં 100થી વધુ મુસાફરોને મળીને જમીની પ્રતિસાદ લીધો રેલ સેવાઓમાં...

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here