દિયા મિરઝાના સાહિલ સાંગાની સાથે છુટાછેડા

0
68

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રીથી નિર્માત્રી બનેલી દિયા મિર્ઝાએ પતિ સાલિહ સાંગા સાથે છુટાછેડા લઇ લીધા છે. લગ્નના પાંચ વર્ષ બાદ આજે બંને એકબીજાથી અલગ થઇ ગયા હતા. આજે ગુરુવારના દિવસે બંનેએ છુટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. ૧૮મી ઓક્ટોબર ૨૦૧૪ના દિવસે બંનેએ લગ્ન કર્યા હતા. આ પહેલા બંને એકબીજા સાથે છ વર્ષ સુધી પ્રેમમાં રહ્યા હતા. આ રીતે દિયા અને સાહિલ આશરે ૧૧ વર્ષથી રિલેશનશીપમાં રહ્યા હતા. લગ્ન પહેલા દિયા મિર્ઝા અને સાહિલ બિઝનેસ પાર્ટનર પણ રહ્યા હતા. દિયાએ સાહિલ સાથે અલગ થવાની જાહેરાત સોશિયલ મિડિયા ઉપર કરી છે. દિયા મિર્ઝાએ લખ્યું છે કે, ૧૧ વર્ષની લાઇફ સાથે ગાળ્યા બાદ પારસ્પરિકરીતે સહમતિથી અલગ થઇ રહ્યા છે. મિત્રતા યથાવતરીતે રહેશે. બંનેની પ્રાઇવેસીનું સન્માન કરવા માટે પણ દિયા મિર્ઝાએ કહ્યું છે. હાલના વર્ષોમાં મલાઇકા અરોડા અને અરબાઝ ખાન, રિતિક અને સુઝેનના લગ્નના જીવનનો અંત આવ્યો છે.