આદિત્ય નારાયણની પત્ની શ્વેતા અગ્રવાલ પ્રેગ્નન્ટ, સિંગરે કહ્યું- જીવનના નવા તબક્કાને લઈ ઘણાં જ ઉત્સાહી છીએ

0
17
આદિત્યે 2020માં પહેલી ડિસેમ્બરે શ્વેતા સાથે લગ્ન કર્યા હતા
આદિત્યે 2020માં પહેલી ડિસેમ્બરે શ્વેતા સાથે લગ્ન કર્યા હતા

બોલિવૂડ સિંગર આદિત્ય નારાયણ તથા પત્ની શ્વેતા અગ્રવાલ પહેલાં સંતાનના પેરેન્ટ્સ બનવાના છે. શ્વેતા હાલમાં પ્રેગ્નન્ટ છે. આદિત્યે એક ઇન્ટરવ્યૂમાં પેરેન્ટહૂડ અંગે વાત કરી હતી.

ઇટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં આદિત્યે કહ્યું હતું, ‘શ્વેતા અને હું જીવનના આ નવા તબક્કાને લઈ ઘણાં જ ઉત્સાહી છીએ. મને બાળકો બહુ જ ગમે છે અને પિતા બનવા માગતો હતો. શ્વેતાને હવે કામ વધી જશે, કારણ કે હું પણ બાળક જેવો જ છું. અમારું ઘર હવે એકદમ એનર્જીથી ભરપૂર થઈ જશે.’આદિત્યે કહ્યું હતું, ‘આ જરા ફિલ્મી લાગશે, પરંતુ મારા 30મા બર્થડે (6 ઓગસ્ટ, 2017) પર જ્યારે મેં અને શ્વેતાએ સગાઈ પણ નહોતી કર્યાં ત્યારે મેં સપનું જોયું હતું કે નર્સિંગ હોમમાં શ્વેતા અમારા બાળકને લઈ ઊભી છે. મારું સપનું સાચુ થવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ શ્વેતાનું સીમંત થવાનું છે. સીમંતમાં માત્ર પરિવાર જ હાજર રહેશે.આદિત્યે આગળ કહ્યું હતું, ‘હું છેલ્લાં ઘણાં વર્ષોથી મહેનત કરી રહ્યો છે, કારણ કે હું મારી પત્ની ને પરિવારને આરામનું જીવન આપવા માગુ છું. અમે પરિવાર શરૂ કરવા જઈ રહ્યાં છીએ.’સિંગરે વધુમાં કહ્યું હતું, ‘મને દીકરી ઘણી જ ગમે છે, કારણ કે દીકરીઓ પિતાની ઘણી જ નિકટ હોય છે. મારા માતા-પિતા દાદા-દાદી બનાવા માટે ઘણાં જ ઉત્સુક છે, પરંતુ મારા પિતા (સિંગરં ઉદિત નારાયણ) મારી જેમ લાગણીઓને વ્યક્ત કરવામાં થોડાં શરમાળ છે.’