
• શ્રી અમન મહેશ્વરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા, જેની સાથે શ્રી અવિરલ મહેશ્વરી, શ્રી આનંદ મહેશ્વરી અને શ્રી કેશવ મહેશ્વરી સાથે એલનની નવી પેઢીના નેતૃત્વ પરિવર્તનની પ્રક્રિયા પૂર્ણ થઈ
• આ નિમણૂંક સાથે ચારેય સ્થાપકોએ બોર્ડની જવાબદારીઓ નવી પેઢીને સોંપી દીધી છે, જે આગામી 100 વર્ષ સુધી સંસ્થા નિર્માણ કરવાના એલનના વિઝનને વધુ મજબૂત બનાવે છે
કોટા, રાજસ્થાન, 1 સપ્ટેમ્બર, 2026: નવી પેઢીના નેતૃત્વ તરફ સંસ્થાકીય પરિવર્તનની પ્રક્રિયાને આગળ વધારતાં એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટે આજે શ્રી અમન મહેશ્વરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. આ નિમણૂંક સાથે એલનના ચારેય સ્થાપકો તરફથી બોર્ડની જવાબદારીઓ નવી પેઢીને સોંપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે, જે આગામી 100 વર્ષ સુધી ટકી રહે તેવી અને ભવિષ્યના પડકારો માટે તૈયાર હોય તેવી સંસ્થા ઊભી કરવાના એલનના લાંબા ગાળાના વિઝનને દર્શાવે છે.
શ્રી અમન મહેશ્વરી બોર્ડમાં નવી પેઢીના અન્ય ડિરેક્ટરો શ્રી અવિરલ મહેશ્વરી, શ્રી આનંદ મહેશ્વરી અને શ્રી કેશવ મહેશ્વરી સાથે જોડાયા છે. તેઓ એલનની ગ્લોબલ સ્ટડીઝ ડિવિઝનનું નેતૃત્વ કરવાનો અનુભવ ધરાવે છે. ભારત, યુએઈ, યુનાઇટેડ કિંગડમ અને યુરોપમાં મેળવેલા શિક્ષણ અને વ્યાવસાયિક અનુભવને કારણે તેમનો અભિગમ આંતરરાષ્ટ્રીય સ્તરનો છે. તેમની નિમણૂંક સાથે પેઢી પરિવર્તનની સુનિયોજિત પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં એલનના સ્થાપનાકાળના મૂલ્યો, તેના વ્યાવસાયિક નેતૃત્વનો અનુભવ અને નવી પેઢીના ડિરેક્ટરોની નવી ઊર્જાનો સુમેળ જોવા મળે છે.
એલનના સ્થાપક શ્રી રાજેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “અમન બોર્ડમાં જોડાતા એલનની સફરનો એક મહત્વપૂર્ણ અધ્યાય પૂર્ણ થયો છે. અમારી નવી પેઢીના દરેક ડિરેક્ટર પોતાની આગવી વિશેષતા ધરાવે છે અને એલનના આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રના નિર્માણમાં અમનના અનુભવથી બોર્ડને મૂલ્યવાન દ્રષ્ટિકોણ મળશે. મને વિશ્વાસ છે કે આ સામૂહિક નેતૃત્વ આવનારી પેઢીઓ સુધી એલનના મિશનને આગળ ધપાવશે.”
એલનના સ્થાપક ડૉ. બ્રજેશ મહેશ્વરીએ તેમના મોટા પુત્ર શ્રી અમન મહેશ્વરીનું એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે બોર્ડમાં સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, “મારા મોટા પુત્ર શ્રી અમન મહેશ્વરીને આ મહત્વપૂર્ણ જવાબદારી સંભાળતા જોઈને મને ખૂબ આનંદ થાય છે. વર્ષોથી તેમણે એલનની વૈશ્વિક શિક્ષણ પહેલોને વિકસાવવામાં અને મજબૂત બનાવવામાં તેમજ તેને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મને વિશ્વાસ છે કે બોર્ડમાં નવી ભૂમિકા સંભાળ્યા બાદ પણ તેઓ એ જ સમર્પણ, પ્રતિબદ્ધતા અને વિઝન સાથે કામ કરવાનું ચાલુ રાખશે અને એલનને વિકાસ તથા શ્રેષ્ઠતાના નવા મુકામો તરફ લઈ જશે. સ્થાપકો તરીકે અમારો હંમેશાં પ્રયાસ રહ્યો છે કે આપણે આપણા કરતાં પણ મોટી એવી સંસ્થા ઊભી કરીએ, જે આવનારી પેઢીઓ માટે મજબૂત વારસો ઊભો કરે. અમનનું એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની ભૂમિકામાં પરિવર્તન આ વ્યાપક વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ અને અર્થપૂર્ણ પગલું છે.”
પોતાની નિમણૂંક અંગે શ્રી અમન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “એલનની સફરના એક મહત્વપૂર્ણ તબક્કે તેના બોર્ડમાં જોડાઈને મને સન્માનની લાગણી થાય છે. સંસ્થા સાથે ઉછરતાં અને વર્ષોથી તેની વૈશ્વિક શિક્ષણ પહેલોના નિર્માણ તથા વિસ્તરણમાં યોગદાન આપતાં મને એલનની ઓળખ અને મૂલ્યોને સમજવાની સાથે સાથે તેની સામે રહેલી નવી સંભાવનાઓને જાણવાની પણ તક મળી છે. હું મારા અનુભવ અને દ્રષ્ટિકોણને બોર્ડ સમક્ષ રજૂ કરવા આતુર છું. મારા સાથી ડિરેક્ટરો અને નેતૃત્વ ટીમ સાથે મળીને એલનના મૂળ આધારને વધુ મજબૂત બનાવવા, નવીનતાને વેગ આપવા, વૈશ્વિક સ્તરે એલનની પહોંચ વિસ્તારવા અને એલનને ભારતની સૌથી વિશ્વસનીય શિક્ષણ સંસ્થાઓમાં સ્થાન અપાવનાર વારસાને વધુ મજબૂત બનાવવા માટે કામ કરવા હું ઉત્સુક છું.”
ડિરેક્ટર શ્રી ઉદય શંકરે જણાવ્યું હતું કે, “અમનની નિમણૂંક સાથે એલનનું બોર્ડ હવે સંસ્થાના આગામી તબક્કાની સાચી ઝલક રજૂ કરે છે. તેમાં સ્થાપકોની સમજ અને અનુભવ, વ્યાવસાયિક સંચાલનની શિસ્ત તથા નવી પેઢીની નવી ઊર્જાનો સમન્વય થયો છે. આ સાથે એવું ગવર્નન્સ સ્ટ્રક્ચર પૂર્ણ થયું છે, જે આવનારા અનેક દાયકાઓ સુધી એલનની શ્રેષ્ઠતા જાળવી રાખવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.”
એલનના સીઈઓ શ્રી નીતિન કુકરેજાએ ઉમેર્યું હતું કે, “ગ્લોબલ સ્ટડીઝ ડિવિઝનનું નેતૃત્વ કરતાં અમને વર્ષોથી તેમણે જે વિશ્વાસ અપાવ્યો છે, તેના આધારે બોર્ડમાં અમનની નિમણૂંક એક સ્વાભાવિક આગળનું પગલું છે. નેતૃત્વ ટીમ તરીકે અમે એલનના શતાબ્દી વર્ષના વિઝન તરફ આગળ વધતાં તેમના સતત માર્ગદર્શનની અપેક્ષા રાખીએ છીએ.”
આ નિમણૂંક સાથે એલનના નવા બનેલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં શ્રી ઉદય શંકર ચેરમેન તરીકે રહેશે. તેમની સાથે શ્રી અવિરલ મહેશ્વરી, શ્રી અમન મહેશ્વરી, શ્રી આનંદ મહેશ્વરી, શ્રી કેશવ મહેશ્વરી અને શ્રી પ્રતીક ગર્ગ બોર્ડના સભ્યો તરીકે સામેલ છે.
