Saturday, August 15, 2026
HomeIndiaબજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા કંપની બની

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા કંપની બની

Date:

Related stories

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એપ્લીકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (બીમા-એએસબીએ) સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા કંપની બની છે. આ સીમાચિહ્ન ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ (ઇન્ડિયા (આઇઆરડીએઆઇ)ની સંચાલકીય સરળતા, વીમાધારકની અનુકૂળતામાં વધારો કરવા, વધુ પારદર્શિતા તથા વીમા પ્રીમિયમ ચૂકવણી પ્રક્રિયા સરળ બનાવવાની પહેલને સુસંગત છે.બીમા-એએસબીએ પ્રીમિયમની ચૂકવણી સરળ અને ગ્રાહકને અનુકૂળ કરવાની દિશામાં એક નોંધપાત્ર કદમ છે. આઇઆરડીએઆઇની પહેલ અંતર્ગત પોલિસીધારક યુપીઆઇના વન-ટાઇમ મેન્ડેટ (ઓટીએમ) અપનાવી શકે છે તથા યુપીઆઇ દ્વારા તેમના બેંક ખાતામાં નિયત રકમ (રૂ. 2 લાખ સુધી) બ્લોક કરવા માટે અધિકૃત કરી શકે છે. આ રકમ વીમા કંપની દ્વારા અન્ડરરાઇટિંગની પ્રક્રિયા પૂર્ણ કરે અને દરખાસ્ત સ્વિકારવાનો નિર્ણય કર્યાં બાદ જ ડેબિટ કરાશે. જો 14 દિવસમાં અરજી પ્રોસેસ ન કરાય અથવા દરખાસ્ત ન સ્વિકારાય તો બ્લોક કરાયેલી રકમ ગ્રાહકને આપમેળે રિલિઝ કરી દેવાશે. આ પહેલથી સુનિશ્ચિત કરી શકાય છે કે પોલિસીધારકનું ફંડ તેમના બેંક ખાતામાં રહે અને જ્યાં સુધી વીમો ઇશ્યૂ કરવાને પુષ્ટિ ન મળે ત્યાં સુધી તેઓ વ્યાજ પ્રાપ્ત કરતાં રહે. બજાજ આલિયાન્ઝ લાઇફે તેના પેમેન્ટ પાર્ટનર્સની સાથે આ પ્રક્રિયાને સફળતાપૂર્વક લોંચ કરી છે.આ અંગે બજાજ આલિયાન્ઝ લાઇફના એમડી અને સીઇઓ તરૂણ ચુઘે કહ્યું હતું કે, “ઇન્સ્યોરન્સ ફોર ઓલ બાય 20247ના વિઝનને અનુરૂપ આઇઆરડીએઆઇ ગ્રાહકોની અનુકૂળતા માટે પારદર્શિતા, વિશ્વાસ અને ડિજિટલાઇઝેશન વધારવાની દિશામાં પ્રશંસનીય પગલાં ભરી રહ્યું છે. વીમા ઇકોસિસ્ટમ મજબૂત કરીને ગ્રાહકોને વધુ લાભ પ્રદાન કરવા આ પગલાં ડિઝાઇન કરાયા છે. અમે આ દિશામાં બીમા-એએસબીએને એક મહત્વપૂર્ણ પગલાં તરીકે સ્વાગત કરીએ છીએ.જીવન વીમા ઉદ્યોગ વધુ મજબૂત બનવ,, પ્રક્રિયાઓને સરળ બનાવવા તથા ગ્રાહકોનો વિશ્વાસ વધારવા માટે કામ કરી રહ્યો છે ત્યારે બીમા-એએસબીએ પોલિસીધારકો માટે સુરક્ષા, આત્મવિશ્વાસ અને ફ્લેક્સિબિલિટીનું વધુ એક સ્તર ઉમેરીને આ પ્રયાસોને વધુ મજબૂત બનાવશે. ગ્રાહકોને અગાઉથી ચૂકવણી કરવાને બદલે તેમના પ્રીમિયમની રકમ બ્લોક કરવાની મંજૂરી આપવાથી જો તેમને પોલિસી ઇશ્યૂ ન કરવામાં આવે તો રિફંડ અંગેની ચિંતાઓને દૂર કરે છે. બજાજ આલિયાન્ઝ લાઇફ ખાત, અમારી કસ્ટમર ફર્સ્ટની ખાતરી અમને સતત ઇનોવેશન માટે પ્રેરણા આપે છે અને બીમા-એએસબીએ આ ફોકસ સાથે સુસંગત છે.”

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here