Saturday, July 25, 2026
Homenationalયુપીમાં તબાહી! વીજળી પડવા સહિત અન્ય ઘટનાઓમાં 34ના મોત, રાયબરેલીમાં 8 બાળકો...

યુપીમાં તબાહી! વીજળી પડવા સહિત અન્ય ઘટનાઓમાં 34ના મોત, રાયબરેલીમાં 8 બાળકો દાઝ્યાં

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં ચોમાસુ સક્રિય થવાના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ચાલુ છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ વચ્ચે વીજળી પડવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વીજળી પડવાના કારણે ઘણાં લોકોના મોત થયા છે. આ ઉપરાંત ભારે વરસાદ અને પાણીમાં ડૂબી જવાથી લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ ઘટનાઓમાં કુલ 34 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશના રાહત કમિશનરના જણાવ્યા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી 17, પાણીમાં ડૂબી જવાથી 12 અને ભારે વરસાદને કારણે 5 લોકોના મોત થયા છે. તેમાંથી બાગપત, ઇટાવા, ઉન્નાવ, આગ્રા અને બલિયામાં વીજળી પડવાથી 1-1, જાલૌન, કાનપુર દેહાત, કન્નૌજ અને ગાઝીપુરમાં 2-2 અને મૈનપુરીમાં 4 લોકોના મૃત્યુ થયા છે. આ સિવાય સંત કબીર નગરમાં 1, બદાયુમાં 2, બરેલીમાં 4 અને રાયબરેલીમાં 5 વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. ભારે વરસાદને કારણે એટા, કન્નૌજ અને કૌશામ્બીમાં 1-1 અને મુઝફ્ફરનગરમાં 2 વ્યક્તિનું મોત થયું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં વીજળી પડવા, પાણીમાં ડૂબવા અને ભારે વરસાદને કારણે થયેલા જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે દરેક મૃતકના આશ્રિતોને 4 લાખ રૂપિયાની સહાયનું તાત્કાલિક વિતરણ કરવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે વિવિધ કુદરતી આફતોમાં ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. રાયબરેલીમાં 8 બાળકો વીજળીની ઝપેટમાં આવતા દાઝી ગયા હતા. આ 8 બાળકો રાયબરેલીના એક જ ગામના છે. જેમાંથી 3 બાળકો ઢોર ચરાવવા ગયા હતા, જયારે 5 બાળકો વરસાદ વચ્ચે ખેતરમાં ડાંગર રોપી રહ્યા હતા. માહિતી મળતાં જ પરિવારજનોએ તમામ બાળકોને તાત્કાલિક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં બાળકોની હાલત નાજુક હોવાથી ડોકટરોએ પ્રાથમિક સારવાર બાદ તેમને જિલ્લા હોસ્પિટલમાં રીફર કર્યા હતા. આ દરમિયાન હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકાની શક્યતા વ્યક્ત કરી છે. લોકોને વરસાદ દરમિયાન ખુલ્લામાં ન રહેવા અપીલ કરવામાં આવી છે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here