દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતિ: PM નરેન્દ્ર મોદી સહિત ઘણા મોટા નેતા રહ્યા હાજર

0
37
રાજધાની દિલ્હી સ્થિત સદૈવ અટલ માં પ્રાર્થનાસભા યોજાઈ
રાજધાની દિલ્હી સ્થિત સદૈવ અટલ માં પ્રાર્થનાસભા યોજાઈ

નવી દિલ્હી: ભારતના પૂર્વ પ્રઘાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીની આજે 97મી જન્મજયંતી છે. આ અવસર પર શનિવેરે રાજધાની દિલ્હી સ્થિત સદૈવ અટલ માં પ્રાર્થનાસભા યોજાઈ. PM નરેન્દ્ર મોદી સહિત ઘણા મોટા નેતા હાજર રહ્યા. તેઓએ ભારત રત્ન વાજપેયીને શ્રધાંજલી આપી. વર્ષ 2014થી તેમની જન્મજયંતિને દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવાય છે.

શનિવારના સદૈવ અટલ પર પીએમ મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને સુરક્ષા મંત્રી રાજનાથએ પણ શ્રદ્ધાંજલિ આપી.

પીએમએ ટ્વીટ કર્યું કે, ‘આદરનીય અટલજી ને જયંતિ પર નમન. અમે રાષ્ટ્રના પ્રતિ તેમની સેવાથી પ્રેરિત થયા છીએ. તેઓએ ભારતને મજબુત અને વિકસિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમના વિકાસની પહેલથી લાખો ભારતીયો પર સકારાત્મક પ્રભાવ પડે છે.’

શાહે લખ્યું છે કે, ‘માં ભારતીનું પરમ વૈભવ પાછુ લાવવા જીવનનો ઘ્યેય બનાવી અટલજી તેમના સિદ્ધાંતો અને અદ્ભૂત કર્તવ્યનિષ્ઠાથી દેશમાં સુશાસનની કલ્પનાને ચરિતાર્થ કર્યું. અને ભારતીય રાજકારણને અલગ દિશા આપી. આવા અદ્વીત્ય રાષ્ટ્રભક્તન આદરનીય અટલજી ને જયંતિ પર ચરણવંદન

નડ્ડાએ લખ્યું, ‘ભારતીય રાજનીતિના આદર્શ યુગપુરુષ, કરોડો ભાજપના કાર્યકરોના માર્ગદર્શક અને ભૂતપૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.’મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં 1924માં જન્મેલા અટલ બિહારી વાજપેયી એક પ્રખર વક્તા અને મોટા લેખક હતા. તેઓએ ઘણી પ્રખ્યાત કવિતાઓની રચના કરી. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને જન સંઘના સક્રિય સભ્ય હતા. વાજપેયીએ રાજકીય કરિયરમાં કેટલાક અહમ પદો પર પણ સેવા આપી. 1980 માં તેઓએ નજીકના લાલકૃષ્ણ અડવાણી સાથે ભારતીય જનતા પાર્ટીની સહ-સ્થાપના કરી. 1996માં તે ભાજપના દેશમાં પહેલા પીએમ બન્યા.