નોલેજથી સક્સેસ સુધી, 5 સૌથી જરૂરી વાત, જે જીવનની દિશા નક્કી કરે છે

0
6

આજે વસંતપંચમી છે. આ દિવસે સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. પુરાણો પ્રમાણે, મહા મહિનાની પાંચમ તિથિએ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી, પરંતુ એ સર્જનમાં જ્ઞાનનો અભાવ હતો. સરસ્વતીના જન્મ સાથે જ પૃથ્વી પર જ્ઞાનની શરૂઆત થઈ. જે દિવસે સરસ્વતી પ્રગટ થયા એ દિવસે વસંતપંચમી હતી, તેથી જ આ દિવસ જ્ઞાન એટલે નોલેજનો ઉત્સવ છે.

સરસ્વતીની પૂજા એ માત્ર પરંપરા નથી, જીવનને સાચી દિશામાં લઈ જવાની શરૂઆત છે, કારણ કે જ્ઞાન વિના જીવનનો કોઈ અર્થ નથી. આ તહેવાર જીવનની સૌથી મોટી 5 મહત્ત્વની બાબત જણાવે છે. આ તહેવાર સમજાવે છે કે શા માટે સરસ્વતીની પૂજા કરવી જરૂરી છે. આ દેવી જ્ઞાન આપે છે. જ્ઞાન જીવનમાં સફળતા લાવે છે. જીવનની 5 સૌથી મહત્ત્વપૂર્ણ બાબતો વસંતપંચમી સાથે સંબંધિત છે.