પંડિત શિવકુમાર શર્માના અંતિમ સંસ્કાર: અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તરથી લઈ અસિત મોદી સહિતના સેલેબ્સે અંતિમ દર્શન કર્યા

0
6
પંડિત શિવકુમારનું 10 મેના રોજ 84 વર્ષની ઉંમરમાં અવસાન થયું હતું
પંડિત શિવકુમારનું 10 મેના રોજ 84 વર્ષની ઉંમરમાં અવસાન થયું હતું

મંગળવાર, 10મેના રોજ સંતુર લિજેન્ડ પંડિત શિવકુમાર શર્માનું હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે એટલે કે 11 મેના રોજ યોજાશે. બુધવારે સવારે 10થી 12 વાગ્યા સુધી જુહૂમાં અંતિમ દર્શન માટે પંડિત શિવકુમારના પાર્થિવ દેહને મૂકવામાં આવ્યો હતો.

કોણ કોણ અંતિમ દર્શન માટે આવ્યું? પંડિત શિવકુમારને શ્રદ્ધાંજલિ પાઠવવા અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અસિત મોદી, જાવેદ અખ્તર, શબાના આઝમી, રૂપકુમાર રાઠોળ, ઝાકિર હુસૈન, હરિપ્રસાદ ચૌરસિયા સહિતના સેલેબ્સ આવ્યા હતા.પંડિત શિવકુમારના પરિવારના નિકટના સૂત્રોએ કહ્યું હતું, 10મેના રોજ તેમને સવારે 9 વાગ્યાની આસપાસ હાર્ટ અટેક આવ્યો હતો. તે છેલ્લા સમય સુધી એક્ટિવ હતા. તેઓ ભોપાલમાં આવતા અઠવાડિયે પર્ફોર્મ પણ કરવાના હતા. તેમને છેલ્લા છ મહિનાથી કિડનીની બીમારી હતી અને તેઓ નિયમિત રીતે ડાયાલિસીસ કરાવતા હતા.