Saturday, July 18, 2026
Homenationalગુલાબ નબી આઝાદ બાદ રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે હશે વિપક્ષના નેતા

ગુલાબ નબી આઝાદ બાદ રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે હશે વિપક્ષના નેતા

Date:

Related stories

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

નવી દિલ્હી. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલાબ નબી આઝાદ નો કાર્યકાળ ખતમ થયા બાદ પાર્ટીના વરિષ્ઠ નેતા અને કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષના નેતા તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે. સંગઠનના મહાસચિવ વેણુગોપાલે આ વાતની જાણકારી આપતા કહ્યું કે કૉંગ્રેસે રાજ્યસભાના સભાપતિ વૈંકેયા નાયડુને આ વિશે જાણકારી આપી છે કે આઝાદનો કાર્યકાળ પૂરો થયા બાદ હવે ખડગે પાર્ટી તરફથી નોમિનેટ કરવામાં આવે છે. એટલે કે ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા હશે રાજ્યસભામાં વિપક્ષના ઉપ નેતા આનંદ શર્મા પણ ઈચ્છતા હતા કે તેમને વિપક્ષના નેતા બનાવવામાં આવે. પરંતુ હાલમાં સંગઠનને લઈ અનેક સવાલો ઊભા કરતો પત્ર સોનિયા ગાંધીને લખ્યા બાદ પાર્ટી નેતૃત્વ તેમને આ જવાબદારી આપવા માટે વધુ ઉત્સાહિત નહોતું. તેની સાથે જ મલ્લિકાર્જુન ખડગેને રાહુલ ગાંધીથી ખૂબ નજીક માનવામાં આવે છે. તેમને 2019માં લોકસભા ચૂંટણીમાં હાર્યા હોવા છતાંય પાર્ટીએ રાજ્યસભામાં તક આપી હતી. નોંધનીય છે કે, રાજ્યસભામાં 15 ફેબ્રુઆરી બાદ જમ્મુ અને કાશ્મીર ના કોઈ પ્રતિનિધિ નહીં હોય. અહીંથી હાલ 4 રાજ્યસભા સીટો છે, પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદથી ત્યાં ચૂંટણી નથી યોજાઈ. એવામાં હાલ રાજ્યસભાથી ત્યાં કોઈ સભ્ય નહીં હોય. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના બે સાંસદ નઝીર અહમદ લાવે (10 ફેબ્રુઆરી) અને મીર મોહમ્મદ ફૈયાઝ (15 ફેબ્રુઆરી)નો કાર્યકાળ પણ ખતમ થઈ જશે. ગુલાબ નબી આઝાદનો કાર્યકાળ 15 ફેબ્રુઆરી અને ભારતીય જનતા પાર્ટીના શમશેર સિંહ મન્હાસનો કાર્યકાળ 10 ફેબ્રુઆરી સુધીનો હતો.

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here