મેહુલ્યો અનરાધાર! સુરતના વરાછામાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, મીઠી ખાડી ભયજનક સપાટીએ

0
6
મુશળધાર વરસાદ શરૃ થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
પારડીમાં ૩.૫ ઈંચ, વાપીમાં ૧.૫ ઈંચ, ધરમપુરમાં ૨ ઈંચ, ઉમરગામ અને કપરાડામાં ૧-૧ ઈંચ વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગની વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં તો ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના વિવિધ જીલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લો, આણંદ જીલ્લો, માંડવી પંથકમાં વરસાદ સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વિવિધ તાલુકામાં વરસાદ ખાબકયો હતો. સુરતના બારડોલી, કામરેજ, મહુવા, ઉમરપાડા, ચોર્યાસી, ઓલપાડ, માંડવી, માંગરોળમાં વરસાદ નોંધાયો હતો. સુરતના વરાછામાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા માર્ગો પર પાણી ફરી વળ્યું, તો શહેરમાં પાંચ ઈંચ વરસાત વરસતા મીઠી ખાડી ભયજનક સપાટીએ પહોંચી છે.સુરતના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકયો હતો. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. જેના કારણે વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ઓલપાડમાં વરસાદી માહોલથી મુખ્ય બજારમાં પણ પાણી ભરાયા હતા.આણંદ જિલ્લામાં વીતી મધરાતે મેહુલીયાએ જમાવટ કરી હતી.બોરસદ અને આંકલાવમાં અષાઢી મેઘે મ્હેર વર્ષાવી હતી. બોરસદમાં 8 કલાક 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા હતા. લોકોના ઘર આંગણે પાણી ભરાઇ જતા બહાર નીકળવા મુશ્કેલી ઉભી થઇ હતી. આણંદ સહિત ઉમરેઠ, ખંભાત, તારાપુર, પેટલાદ, સોજીત્રામાં પણ ધોધમાર વરસાદ ખાબકયો હતો.સુરતના માંડવી તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી. માંડવી તાલુકાના મુજલાવ,,વાવીયા ખાડી પર પાણી ફરી વળ્યાં હતા. ભારે વરસાદ વરસતા પાણી ફરી વળતા લોકોને માંડવી તરફ 15 થી 20  કીમિનો ફેરવો કરવાની ફરજ પડી હતી.આણંદ જિલ્લામાં વીતી મધરાતે મેહુલીયાએ જમાવટ કરી હતી.બોરસદ અને આંકલાવમાં અષાઢી મેઘે મ્હેર વર્ષાવી હતી.અષાઢી બીજે વરસાદ વરસતા ભક્તો અને ખેડૂતોમાં આનંદ છવાયો હતો.આણંદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ બોરસદમાં વરસ્યો હતો. ધોધમાર વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં સરેરાશ ૩.૬ ઇંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. સૌથી વધુ વલસાડમાં ૮ ઈંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. વલસાડના મોગરાવાડી અને છીપવાડ ગરનાળું પાણીથી ભરાઇ જતા ૪૦ ગામોના લોકોને અસર થઇ હતી. સુરત જિલ્લાના ઉમરપાડામાં છ કલાકમાં ૬.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો.વલસાડ જીલ્લામાં ગઈકાલે બુધવારે સાંજથી મુશળધાર વરસાદ શરૃ થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બુધવારે સાંજે ૪ વાગ્યાથી આજે ગુરૃવારે સાંજે ૪ વાગ્યા સુધી પૂર્ણ થતાં ૨૪ કલાકમાં જીલ્લામાં સરેરાશ ૩.૬ ઈંચ વરસાદ પડયો હતો. જીલ્લામાં સૌથી વધુ વલસાડમાં ૮ ઈંચ વરસાદ પડયો હતો. વલસાડમાં માત્ર છ કલાકમાં જ ભારે વરસાદ પડતા અનેક વિસ્તાર તળાવમાં  રૃપાંતરિત થયા હતા. સાથે જનજીવન પણ પ્રભાવિત થયું હતું. મોગરાવાડી અને છીપવાડ ગરનાળું પાણીથી ભરાઇ ગયું હતું. જેને લીધે આસપાસના ૪૦ ગામોના લોકોને શહેરમાં પ્રવેશમાં મુશ્કેલી નડી હતી. લોકોએ ૧૦થી ૧૫ કિલોમીટર સુધી ચકરાવો લેવો પડયો હતો.આ ઉપરાંત જિલ્લાના પારડીમાં ૩.૫ ઈંચ, વાપીમાં ૧.૫ ઈંચ, ધરમપુરમાં ૨ ઈંચ,  ઉમરગામ અને કપરાડામાં ૧-૧ ઈંચ વરસાદ પડયો હતો. જયારે ગઈકાલે બુધવારે સવારે ૮ વાગ્યાથી આજે ગુરૃવારે સવારે ૮ વાગ્યા સુધીમાં વિતેલા ૨૪ કલાકમાં દમણ અને દમણ અને દા.ન.હવેલીમાં ૧.૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ જીલ્લાના મધુબન ડેમની સપાટી સાંજે ૬૯.૩૦ મીટર નોંધાઈ હતી.સુરત જિલ્લામાં સુરત શહેર અને જિલ્લામાં દેમાર વરસાદની આગાહી કરાઇ હતી. આ આગાહી સાચી પડી હોઇ તેમ સવારથી જ મેઘરાજાની વરસાદી ઇનિગ્સ શરૃ થઇ ગઇ હતી. જેમાં જિલ્લાના ચેંરાપુજી ગણાતા ઉમરપાડા તાલુકામાં સવારે છ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીના છ કલાકમાં દેમાર વરસાદ ઝીંકાયો હતો. આ કલાકમાં ઉમરપાડા તાલુકામાં અધધધ સાડા છ ઇંચ વરસાદ ખાબકતા પાણીની રેલમછેલ થતા નીચાળવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. આ સિવાય દિવસના છ વાગ્યાથી લઇને સાંજે છ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં માંગરોળમાં ૩ ઇંચ, કામરેજમાં ૨.૫ ઇંચ, માંડવી, ચોર્યાસી તાલુકામાં ૧-૧ ઇંચ વરસાદ તેમજ ઓલપાડ, પલસાણા, બારડોલીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લામાં મેઘમહેર જોવા મળતા ખેડુતોમાં ખુશીનું મૌજુ  ફરી વળ્યુ હતુ. અને વરસાદ સારો થતા પાક સારો થવાની આશા બંધાઇ હતી.