કેપ્ટન બન્યા બાદ બુમરાહનું મોટું નિવેદન, ધોની-કોહલી અને રોહિત શર્માની કેપ્ટનશિપ પર કહી આ વાત…

0
5
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ 1 જુલાઈથી એજબેસ્ટન ખાતે રમાશે.
જસપ્રીત બુમરાહે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન બનવા પર મોટું નિવેદન આપ્યું છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ 1 જુલાઈથી એજબેસ્ટન ખાતે રમાશે. આ મેચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ભારતીય ટીમના કેપ્ટન હશે. ખરેખર, ભારતીય ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્માનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ જસપ્રીત બુમરાહને આ જવાબદારી મળી છે. હવે જસપ્રીત બુમરાહે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન બનવા પર મોટું નિવેદન આપ્યું છે.જસપ્રિત બુમરાહે કહ્યું કે તેઓ એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમ્યો છે, પરંતુ તે તેના પૂર્વ કેપ્ટનોની નકલ નહીં કરે. તેમણે કહ્યું કે એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા ક્રિકેટના મહાન ખેલાડી છે, તેઓએ ભારતીય ક્રિકેટને ઘણું આપ્યું છે.જસપ્રિત બુમરાહના કહેવા પ્રમાણે, તે દરેકની વાત સાંભળે છે અને શીખવાની કોશિશ કરે છે. તેમણે કહ્યું કે દરેકની પદ્ધતિ એકસરખી નથી હોતી. હું ઘણા સિનિયર ખેલાડીઓની કપ્તાનીમાં રમ્યો છું, આ દરમિયાન મેં હંમેશા શીખવાની કોશિશ કરી છે. 5 ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે. જો ભારતીય ટીમ છેલ્લી મેચ જીતવામાં અથવા ડ્રો કરવામાં સફળ રહે છે તો શ્રેણી પોતાના નામે કરી લેશે.