Wednesday, August 5, 2026
HomeGujaratખોડલધામનો પાટોત્સવ રાબેતા મુજબ યોજાશે: ખોડલધામને 20 લાખ લોકો ભેગા કરવા...

ખોડલધામનો પાટોત્સવ રાબેતા મુજબ યોજાશે: ખોડલધામને 20 લાખ લોકો ભેગા કરવા છે? આજે મહત્ત્વની બેઠક યોજાશે

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

કોરોના સંક્રમણ વધી રહ્યું છે, કોરોનાના કેસ જેટ ગતિએ વધી રહ્યા છે, રાજ્ય સરકારે પણ વાઇબ્રન્ટ સમિટ સહિતના કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે ત્યારે રાજ્યભરના લોકોની જે આયોજન તરફ મીટ મંડાઇ હતી, તે ખોડલધામનો પાટોત્સવ પર પણ પ્રવર્તમાન સ્થિતિની અસર જોવા મળી રહી છે, પાટોત્સવ મોકૂફ રાખવો, કોઇ અન્ય તારીખે કે મહિને રાખવો કે વર્ચ્યુલ આયોજન કરવું આ મુદ્દે દિવ્યભાસ્કર સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં ખોડલધામના પ્રણેતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, શનિવારે કોર કમિટી નિર્ણય કરશે. બેઠક બાદ તે અંગેની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવશે.લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે. આથી ખોડલધામમાં 21મી જાન્યુઆરીએ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ ગઈકાલે પાટોત્સવ વર્ચ્યુઅલ યોજવાનો ખોડલધામ કોર કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.ખોડલધામના કાર્યક્રમ અંગેનો સત્તાવાર નિર્ણય આજે (શનિવારે) લેવાશે. આજે ટ્રસ્ટી મંડળની તેમજ કોર કમિટીની બેઠક મળશે. બાદમાં પત્રકાર પરિષદ કરીને ખોડલધામ પાટોત્સવ અંગેની સત્તાવાર જાહેરાત કરાશે.ઉલ્લેખનીય છે કે આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ટ્રસ્ટીઓની બેઠક બોલાવી છે. આમ, ખોડલધામના પાટોત્સવ મહોત્સવને લઇને હજુ પણ મંદિરના સત્તાધીશો મૂંઝવણ અનુભવતા હોય એવું લાગી રહ્યું છે.પાટોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે સમગ્ર ગુજરાતમાં રહેતા પાટીદાર સમાજને આમંત્રણ આપવા ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે ખુદ સમગ્ર રાજ્યમાં ભ્રમણ કર્યું હતું. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. પાટોત્સવમાં 108 કુંડી યજ્ઞ યોજાવાનો હોવાથી સ્વયંસેવકો દ્વારા હવનકુંડ તૈયાર કરી દેવામાં આવ્યા છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here