Friday, August 14, 2026
Homenationalએલઆઈસીના આઈપીઓને 'સુપરહીટ' બનાવવા સરકાર લાગી કામે, બદલશે આ નિયમ

એલઆઈસીના આઈપીઓને ‘સુપરહીટ’ બનાવવા સરકાર લાગી કામે, બદલશે આ નિયમ

Date:

Related stories

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

મુંબઇ: લાઇફ ઇન્શ્યોરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC)ની ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને વધારે સરળ બનાવવવા માટે કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીએ, FDI પૉલિસીમાં ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. એક વરિષ્ઠ અધિકારીએ છઠ્ઠી જાન્યુઆરીના રોજ આ માહિતી આપી હતી. ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડના સેક્રેટરી અનુરાગ જૈને (Anurag Jain) કહ્યુ કે, ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે જોડાયેલી વર્તમાન FDI પૉલિસી LICની ઇસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને સરળ નહીં બનાવે. આ માટે તેમા સંશોધન કે સુધારો કરવાની જરૂર છે.

અનુરાગ જૈને કહ્યુ કે, “અમે FDI પૉલિસીને વધારે સરળ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. LICનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોવાથી આ પૉલિસીમાં તાત્કાલિક બદલાવની જરૂરિયાત છે. આને ધ્યાનમાં રાખીને અમે સુધારેલી FDI પૉલિસી લાવી રહ્યા છીએ, જે એલઆઈસીની ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા વધારે સરળ બનાવશે.” તેમણે વધુમાં જણાવ્યું કે, આ અંગે ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્સિયલ સર્વિસિસ (DFS) અને ડિપાર્ટમેન્ટ ઑફ ઇનવેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક અસેટ મેનેજમેન્ટ (DIPAM) સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.

જૈને વધુમાં જણાવ્યુ કે, “અમારા સ્તર પર હજુ સુધી બે વખત ચર્ચા થઈ ચૂકી છે. ત્રણેય વિભાગે આ વાતને લઈને સહમતિ દર્શાવી છે. અમે FDI પૉલિસીમાં જરૂરી ફેરફાર માટે કોન્ટ્રાક્ટ તૈયાર કરવાની પ્રક્રિયામાં છીએ, તેને મંજૂરી માટે મંત્રીમંડળ પાસે મોકલવામાં આવશે.”વર્તમાન FDI પૉલિસી પ્રમાણે ઇન્શ્યોરન્સ સેક્ટરમાં 74% સુધી વિદેશી રોકાણની મંજૂરી છે. જોકે, આ નિયમ એલઆઈસીને લાગૂ નથી પડતો. કારણ કે એલઆઈસીની સ્થાપના સંસદમાં ખરડો પસાર કરીને કરવામાં આવી છે. યૂનિયન કેબિનેટે ગત જુલાઈમાં LIC નો આઈપીઓ લાવવાની મંજૂરી આપી હતી. સરકારની યોજના 31 માર્ચ, 2022 પહેલા એલઆઈસીનો આઈપીઓ લાવવાની છે.

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here