Saturday, June 27, 2026
HomePoliticsModiપીએમ મોદીએ WHO ના વડા ડો. ટેડ્રોસને આપ્યું ગુજરાતી નામ 'તુલસીભાઈ'

પીએમ મોદીએ WHO ના વડા ડો. ટેડ્રોસને આપ્યું ગુજરાતી નામ ‘તુલસીભાઈ’

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ગાંધીનગર: ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા મહત્મા મંદિરમાં ત્રણ દિવસનું વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલન યોજાઇ રહ્યું છે. જેનું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મોરેશિયસના પ્રધાનમંત્રી અને WHOના મહાનિદેશક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ડો. ટેડ્રોસનું ગુજરાતી નામ ‘તુલસીભાઈ’ રાખ્યુ હતુ.પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા મારા મિત્ર છે. એમણે કહ્યું કે, હું આજે જે કંઈ છું તેમાં ભારતના શિક્ષકોનો હાથ છે. મારા શિક્ષકો ભારતીય હતા. આજે સવારે તે મને મળ્યા ત્યારે તેમણે મને કહ્યું કે, હવે તો હું પાક્કો ગુજરાતી થઇ ગયો છું. તમે મારું નામ ગુજરાતી રાખી લો. મંચ પર પણ મને યાદ કરાવતા હતા કે, મારું નામ નક્કી કર્યુ કે નહીં. તો હું આજે મહાત્મા ગાંધીની આ પવિત્ર ભૂમિ પર મારા પરમ મિત્રને ગુજરાતીના નાતે ‘તુલસીભાઇ’ નામ રાખું છું. તુલસી એ પવિત્ર છોડ છે જે વર્ષોથી ભારતના દરેક ઘરની સામે તે છોડ રાખવો, પૂજા કરવી તેવી પરંપરા રહી છે. તુલસીએ છોડ છે જે, આધ્યાત્મિક વિરાસતમાં મહત્ત્વનું છે. દિવાળી બાદ તુલસીના લગ્ન થાય છે.

આ કાર્યક્રમમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ડો. ટેડ્રોસે પોતાના સંબોધનની શરૂઆત ગુજરાતીમાં કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, મહાત્મા ગાંધીના હું મહાત્મા ગાંધીની ભૂમિ પર આવીને ખુશી છે. આ ઉપરાંત તેમણે મંગળવારે પણ જામનગરમાં સંબોધનમાં પણ પોતાના સંબોધનની શરૂઆત, ‘કેમ છો, મઝામાં છો’ બોલીને કરી હતી.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, આયુષના ક્ષેત્રમાં રોકાણ અને નવીનતાની શક્યતાઓ અમર્યાદિત છે. અમે પહેલેથી જ આયુષ દવાઓ, પૂરક અને સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં અભૂતપૂર્વ વૃદ્ધિના સાક્ષી છીએ. 2014 માં, જ્યાં આયુષ ક્ષેત્ર $3 બિલિયનથી ઓછું હતું. આજે તે વધીને $18 બિલિયનથી પણ વધુ થઈ ગઈ છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here