Saturday, June 27, 2026
Homenationalવડાપ્રધાન દેશને પ્રથમ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન સોંપશે, આદિવાસી સમ્મેલનમાં પણ લેશે...

વડાપ્રધાન દેશને પ્રથમ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન સોંપશે, આદિવાસી સમ્મેલનમાં પણ લેશે ભાગ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભોપાલની મુલાકાત લેશે. તેઓ આદિવાસી ગૌરવ દિવસ પર આયોજિત સંમેલનને સંબોધશે. આદિવાસીઓને લગતી રાજ્ય સરકારની યોજનાઓનું વડાપ્રધાન દ્વારા શુભારંભ કરવામાં આવશે. હાલમાં જ પૂર્ણ થયેલ વર્લ્ડ ક્લાસના રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન (હબીબગંજ)નું ઉદ્ઘાટન પણ કરશે. PM ભોપાલ બપોરે 12:35 વાગે ભોપાલ પહોંચશે. ભોપાલમાં વડાપ્રધાન લગભગ ત્રણ કલાક અને 50 મિનીટ રોકાશે. મોદી સાંજે 4 વાગે 20 મિનીટે ભોપાલ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે. વડાપ્રધાન તરીકે મોદી પ્રથમ વખત આટલો લાંબો સમય ભોપાલમાં રોકાવાના છે.અમર શહીદ બિરસા મુંડાની જન્મ જયંતિ પર જંબૂરી મેદાનમાં આયોજિત મહાસમ્મેલનમાં રાજયભરના 37 જિલ્લાઓના લગભગ 2 લાખ આદિવાસીઓનું સામેલ થવાનો દાવો છે. મંચ પર વડાપ્રધાન ઉપરનાત રાજયપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા સહિત 8 કેન્દ્રીય પ્રધાનો અને રાજ્યના આદિવાસી નેતાઑ હાજર રહેશે.જંબોરી મેદાન ખાતે યોજાનાર સંમેલન સ્થળ પર સ્વસહાય જૂથોના ઉત્પાદનોનું પ્રદર્શન લગાવવામાં આવ્યું છે. વડાપ્રધાન પણ તેનું અવલોકન કરશે. વડાપ્રધાનનું ભાષણ લગભગ 20 થી 25 મિનિટનું હશે. આ પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું ભાષણ થશેઅમૃત માટી કળશ વડાપ્રધાનને અર્પણ કરવામાં આવશે. જેમાં આઝાદી માટે બલિદાન આપનાર મહાપુરુષોની જન્મભૂમિ, બલિદાન ભૂમિ અને તેમના જીવન સાથે સંકળાયેલા 75 સ્થાનોની માટી હશે. 46 જનજાતિના 700 થી વધુ કલાકારો આદિવાસી સમુદાયની કલા, સંસ્કૃતિ અને વારસાની વૈવિધ્યસભર પ્રકૃતિને દર્શાવતા વડાપ્રધાન સમક્ષ પ્રસ્તુતિ કરશે.અનુસાર વડાપ્રધાન ભાજપના દિગ્ગજ નેતા લક્ષ્મી નારાયણ ગુપ્તાને સન્માનિત કરશે. વડાપ્રધાનને આદિવાસી કલાકારો ભૂરી બાઈ અને ભજ્જુ સિંહ શ્યામ પણ પોતાના ચિત્રો પણ રજૂ કરશે. પીએમના આગમન પહેલા ફિલ્મ ગાયક કૈલાશ ખેર અને ચેન્નાઈના પરંપરાગત મંડલા પર શિવમણિનું પરફોર્મન્સ પણ હશે. મોદી બપોરે 2.30 વાગ્યે અહીંથી રાણી કમલાપતિ રેલવે સ્ટેશન જવા રવાના થશે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here