Friday, June 5, 2026
Homenationalવડાપ્રધાન દેશને પ્રથમ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન સોંપશે, આદિવાસી સમ્મેલનમાં પણ લેશે...

વડાપ્રધાન દેશને પ્રથમ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન સોંપશે, આદિવાસી સમ્મેલનમાં પણ લેશે ભાગ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભોપાલની મુલાકાત લેશે. તેઓ આદિવાસી ગૌરવ દિવસ પર આયોજિત સંમેલનને સંબોધશે. આદિવાસીઓને લગતી રાજ્ય સરકારની યોજનાઓનું વડાપ્રધાન દ્વારા શુભારંભ કરવામાં આવશે. હાલમાં જ પૂર્ણ થયેલ વર્લ્ડ ક્લાસના રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન (હબીબગંજ)નું ઉદ્ઘાટન પણ કરશે. PM ભોપાલ બપોરે 12:35 વાગે ભોપાલ પહોંચશે. ભોપાલમાં વડાપ્રધાન લગભગ ત્રણ કલાક અને 50 મિનીટ રોકાશે. મોદી સાંજે 4 વાગે 20 મિનીટે ભોપાલ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે. વડાપ્રધાન તરીકે મોદી પ્રથમ વખત આટલો લાંબો સમય ભોપાલમાં રોકાવાના છે.અમર શહીદ બિરસા મુંડાની જન્મ જયંતિ પર જંબૂરી મેદાનમાં આયોજિત મહાસમ્મેલનમાં રાજયભરના 37 જિલ્લાઓના લગભગ 2 લાખ આદિવાસીઓનું સામેલ થવાનો દાવો છે. મંચ પર વડાપ્રધાન ઉપરનાત રાજયપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા સહિત 8 કેન્દ્રીય પ્રધાનો અને રાજ્યના આદિવાસી નેતાઑ હાજર રહેશે.જંબોરી મેદાન ખાતે યોજાનાર સંમેલન સ્થળ પર સ્વસહાય જૂથોના ઉત્પાદનોનું પ્રદર્શન લગાવવામાં આવ્યું છે. વડાપ્રધાન પણ તેનું અવલોકન કરશે. વડાપ્રધાનનું ભાષણ લગભગ 20 થી 25 મિનિટનું હશે. આ પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું ભાષણ થશેઅમૃત માટી કળશ વડાપ્રધાનને અર્પણ કરવામાં આવશે. જેમાં આઝાદી માટે બલિદાન આપનાર મહાપુરુષોની જન્મભૂમિ, બલિદાન ભૂમિ અને તેમના જીવન સાથે સંકળાયેલા 75 સ્થાનોની માટી હશે. 46 જનજાતિના 700 થી વધુ કલાકારો આદિવાસી સમુદાયની કલા, સંસ્કૃતિ અને વારસાની વૈવિધ્યસભર પ્રકૃતિને દર્શાવતા વડાપ્રધાન સમક્ષ પ્રસ્તુતિ કરશે.અનુસાર વડાપ્રધાન ભાજપના દિગ્ગજ નેતા લક્ષ્મી નારાયણ ગુપ્તાને સન્માનિત કરશે. વડાપ્રધાનને આદિવાસી કલાકારો ભૂરી બાઈ અને ભજ્જુ સિંહ શ્યામ પણ પોતાના ચિત્રો પણ રજૂ કરશે. પીએમના આગમન પહેલા ફિલ્મ ગાયક કૈલાશ ખેર અને ચેન્નાઈના પરંપરાગત મંડલા પર શિવમણિનું પરફોર્મન્સ પણ હશે. મોદી બપોરે 2.30 વાગ્યે અહીંથી રાણી કમલાપતિ રેલવે સ્ટેશન જવા રવાના થશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here