રિઝર્વ બેન્કે વ્યાજ દરોને યથાવત રાખ્યા, લોકોને EMIમાં કોઈ રાહત નહીં

0
23
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે બીજી લહેરના ઝટકાથી ઈકોનોમિ બહાર આવી રહી છે અને તેમાં તેજી આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઈકોનોમિક રિકવરી લાંબા સમય સુધી જળવાઈ રહે
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે બીજી લહેરના ઝટકાથી ઈકોનોમિ બહાર આવી રહી છે અને તેમાં તેજી આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઈકોનોમિક રિકવરી લાંબા સમય સુધી જળવાઈ રહે

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)એ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેને 4 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. રિવર્સ રેપો રેટને પણ 3.35 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. એટલે કે જે લોકો હાલ લોનના વિવિધ EMI ભરી રહ્યાં છે, તેમને કોઈ પણ પ્રકારની રાહત મળશે નહિ. બેન્ક સતત 10મી વખત આ દરોને યથાવત રાખયા છે. આ પહેલાં મે 2020માં રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.રિઝર્વ બેન્કની 8 ડિસેમ્બરે મોનિટરી પોલીસી કમિટીની 3 દિવસની બેઠક પુરી થઈ છે. રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત છે. રેપો રેટનું આ લેવલ 2001 એપ્રિલ પછીનું સૌથી નીચું લેવલ છે. રિઝર્વ બેન્કના આ નિર્ણય પછી મોટાભાગની બેન્ક નજીકના સમયમાં વ્યાજ દરોમાં કોઈ વધારો કરશે નહશક્તિકાંત દાસે કહ્યું કે મોંઘવારી આપણા પહેલાના અનુમાન મુજબની જ રહી છે. રવી પાક સારો થવાના કારણે આગળ જતા કિંમતો ઘટશે. શાકભાજીની કિંમતો ઘટી શકે છે. જોકે નાણાંકીય વર્ષના ચોથા(જાન્યુઆરી-માર્ચ) ત્રિમાસિકમાં મોંઘવારી પીક પર જશે, જોકે તે પછી તેમાં ઘટાડો કોરોનાની બીજી લહેરના ઝટકામાંથી બહાર આવી રહી છે ઈકોનોમિ કેન્દ્રીય બેન્કે નાણાંકીય વર્ષ 2022 માટે કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ(CPI)ઈન્ફ્લેશન 5.3 ટકા પર રહેવાનું અનુમાન કર્યું છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે બીજી લહેરના ઝટકાથી ઈકોનોમિ બહાર આવી રહી છે અને તેમાં તેજી આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઈકોનોમિક રિકવરી લાંબા સમય સુધી જળવાઈ રહે, તેના માટે પોલીસી સપોર્ટ જરૂરી છેરિઝર્વ બેન્કે નાણાંકીય વર્ષ 2021-22 માટે GDP ગ્રોથનું અનુમાન 9.5 ટકા યથાવત રાખ્યું છે. ઘણા જાણકારોએ અગાઉ કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં રિકવરીને વધુ મજબૂત કરવા માટે રિઝર્વ બેન્ક રેટમાં વધારો કે ઘટાડો કરવા હજી થોડો સમય રાહ જોશે