આજે તમિલનાડુના મહાન કવિ સુબ્રમણ્યમ ભારતીની 100મી પુણ્યતિથિ;નરેન્દ્ર મોદીએ તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પિત કરી

0
124
2018ના વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીની એક તમિલ કવિતા પણ સંભળાવી હતી
2018ના વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીની એક તમિલ કવિતા પણ સંભળાવી હતી

આજે તમિલનાડુના મહાન કવિ સુબ્રમણ્યમ ભારતીની 100મી પુણ્યતિથિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમના બહુમુખી યોગદાનને યાદ કરીને ટ્વીટ કરી હતી. વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે, મહાન કવિ સુબ્રમણ્યમ ભારતીને શ્રદ્ધાંજલિ. અમે તેમની સમૃદ્ધ વિદ્વતા, આપણા રાષ્ટ્ર માટે ઉલ્લેખનીય યોગદાન, સામાજીક ન્યાય અને મહિલા સશક્તિકરણ પર મહાન આદર્શોને યાદ કરીએ છીએ. આ ઉપરાંત વડાપ્રધાને ટ્વીટર પર એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં ડિસેમ્બર 2020માં વડાપ્રધાન મોદીએ મહાન કવિ સુબ્રમણ્યમ ભારતી પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.