Wednesday, July 22, 2026
HomeAhmedabadઅમદાવાદમાં સિટી બસમાં સવારે અચાનક પ્રચંડ આગ

અમદાવાદમાં સિટી બસમાં સવારે અચાનક પ્રચંડ આગ

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

સવારમાં આગની ઘટના બનતા ટ્રાફિક જામ : આસપાસ કોલેજા હોવાથી ભારે ઉત્તેજના સમગ્ર વિસ્તારમાં ફેલાઈ

અમદાવાદ, તા. ૧૯
અમદાવાદ શહેરના મોટાભાગે ભરચક રહેતા યુનિવર્સિટી વિસ્તારમાં આજે સિટી બસમાં સવારે આગ ફાટી નિકળતા ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. આ ઘટનાના કારણે આસપાસ રહેલા વિદ્યાર્થીઓમાં પણ ભારે દોડધામ મચી ગઇ હતી. બસમાં આગની ઘટનાથી ઘણા સમય સુધી ટ્રાફિક જામની સ્થતિ રહી હતી. સાથે સાથે બનાવની જાણ થતાં તરત જ ફાયબ્રિગેડની ટુકડી અને પોલીસ ટુકડી અધિકારીઓ સાથે પહોંચી હતી. યુનિવર્સિટી પાસે ઉભેલી બસમાં આ આગ લાગી હતી. આગની ઘટનામાં જાનહાનિ થઇ નથી પરંતુ આગની આ ઘટનાની અમદાવાદ શહેરમાં આજે દિવસ દરમિયાન ચર્ચા રહી હતી.
બીજી બાજુ સામાન્ય લોકોમાં એવી ચર્ચા પણ રહી હતી કે, એએમટીએસ દ્વારા ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે જેનો આ દાખલો છે. બસની પુરતી જાળવણી અને મેઇન્ટેનન્સની કામગીરી સમય સમયે થતી નથી જેના પરિણામ સ્વરુપે આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. શહેરમાં લાખો લોકોને એક સ્થળથી બીજા સ્થળ પર લઇ જનાર સિટી બસમાં આ પ્રકારની એકાએક આગની ઘટના અનેક પ્રકારના સવાલો ઉભા કરે છે. બસમાં કોઇ પ્રવાસી કે કોઇ કર્મચારી ન હોવાથી જાનહાનિ ટળી ગઈ હતી પરંતુ બેદરકારીનો આ દાખલો બોધપાઠ સમાન બને તે ખુબ જરૂરી છે. કારણ કે જા બસમાં મુસાફરી કરતી વેળા આ પ્રકારની ઘટના એકાએક બને તો મોટી જાનહાનિ થવાનો ખતરો રહે છે જેથી સિટી બસોમાં ચકાસણીની પ્રક્રિયા નિયમિતરીતે હાથ ધરવામાં આવે તે જરૂરી છે. બસને જે રીતે આગની ઘટનામાં નુકસાન થયું છે તેનાથી કેટલી હદ સુધી આગ લાગી હતી તે સરળતાથી સમજી શકાય છે.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here