Friday, June 26, 2026
Homenationalઅયોધ્યા વિવાદ સતત ત્રીજા દિને સુનાવણી યથાવત જારી

અયોધ્યા વિવાદ સતત ત્રીજા દિને સુનાવણી યથાવત જારી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

નવી દિલ્હી, તા. ૮
અયોધ્યા વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટમાં દરરોજના આધારે સુનાવણી ચાલી રહી છે. આજે સતત ત્રીજા દિવસે સુનાવણી થઇ હતી. આજે સુનાવણી દરમિયાન જુદી જુદી તર્કદાર દલીલો કરવામાં આવી હતી. આવતીકાલે પણ સુનાવણી જારી રહેશે. હિન્દુ પક્ષ તરફથી રજૂઆતો થઇ રહી છે. મામલાની સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ કરેલા તીક્ષ્ણ પ્રશ્નો ચર્ચાનો વિષય બન્યા છે. કોર્ટમાં રામલલાના વકીલે પોતાની દલીલો રજુ કરી હતી. જેથી સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે પણ રામમંદિર કેસની સુનાવણી કરવામાં આવશે. મહત્વનું છે કે, દર સપ્તાહે મંગળ-બુધ અને ગુરૂવારે જ સુનાવણી થાય છે. પરંતું સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર શુક્રવારે કામની યાદીમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદની સુનાવણી પણ સામેલ છે. રામલલાના વકીલ કે,પરાસરણે કહ્યું કે દેવતાની હાજરી એક ન્યાયિક વ્યક્તિ હોવાના પરીક્ષણની કસોટી નથી. તેમણે જણાવ્યું કે, નદીઓની પણ પૂજા કરવામાં આવે છે,ઋગવેદ પ્રમાણે સૂર્ય એક દેવતા છે, સૂર્ય એક મૂર્તિ નથી પરંતુ તે સર્વકાલિક દેવતા છે. જેથી સૂર્યને એક ન્યાયિક વ્યક્તિ ગણી શકાય છે. જસ્ટિસ ભૂષણે આ દરમિયાન રામલલાના વકીલને પુછવામાં આવ્યું કે, શું જન્મસ્થાનને વ્યક્તિગત માની શકાય છે, જે પ્રકારે ઉત્તરાખંડની હાઈકોર્ટે ગંગાને વ્યક્તિ માની હતી, આ અંગે પરાસણે કહ્યું કે, રામજન્મભૂમિ વ્યક્તિ હોઈ શકે છે અને રામલલા પણ. કારણ કે તે એક મૂર્તિ નથી, પણ એક દેવતા છે અમે તેમને સજીવ માનીએ છીએ. સુનાવણી દરમિયાન રામલલાના વકીલ કે. પરાસણે કહ્યું કે, જન્મસ્થાન અંગે સચોટ સ્થળની જરૂર નથી, પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ હોઈ શકે છે. તેમણે કહ્યું કે હિન્દુ અને મુસ્લિમ પક્ષો બન્ને જ વિવાદિત ક્ષેત્રને જન્મસ્થાન ગણાવે છે. જેથી આ મુદ્દે તો કોઈ વિવાદ જ નથી કે આ ભગવાન રામનું જન્મસ્થાન છે. તેમણે કહ્યું કે, રામલલાને આ કેસમાં પક્ષકાર ત્યારે બનાવાયો જ્યારે મેજિસ્ટ્રેટે ઝ્રઇઁઝ્રની કલમ ૧૪૫ હેઠળ તેમની સંપત્તિ એટેચ કરી દીધી હતી. ત્યારબાદથી સિવિલ કોર્ટે આ સ્થળે કંઈ પણ કરવા માટે પ્રતિબંધ લગાવી દીધો હતો.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here