Saturday, July 18, 2026
HomeAhmedabadએચડીએફસી બેન્ક દ્વારા મહત્વના એમઓયુ થયા

એચડીએફસી બેન્ક દ્વારા મહત્વના એમઓયુ થયા

Date:

Related stories

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

અમદાવાદ, તા.૨૫
સીએઆઇટીના તમામ સભ્યોને બેંકિંગના ઉત્પાદનો અને સેવાઓની સંપૂર્ણ શ્રેણી પૂરી પાડવા માટે એચડીએફસી બેંકએ આજે સીએસસી ઈ-ગવર્નન્સ સર્વિસિઝ ઇન્ડિયા લિમિટેડ અને કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી) સાથે એમઓયુ કર્યા છે. ૬ કરોડ સભ્યો ધરાવતી સીએઆઇટી ભારતમાં નાના વેપારીઓ અને વ્યવસાયોની હિમાયત કરનારી અગ્રણી સંસ્થા છે. જમીની સ્તરની આ પ્રકારની પહેલવહેલી પહેલને પરિણામે ગ્રામ્ય અર્થતંત્રમાં આમૂલ પરિવર્તન આવશે તથા દેશના આંતરિયાળ વિસ્તારોમાં સક્રિય નાના વેપારીઓને ઘણો ફાયદો થશે. એચડીએફસી બેંક ચાલુ ખાતાના સંચાલન તથા ડિજીટાઇઝેશનને પ્રોત્સાહન આપવા અને ડિજીટલ ઇન્ડિયા ઉદ્દેશ્યોને અનુરૂપ રહી રોકડમાં થતાં વ્યવહારોને ઘટાડવા માટે ભારત ક્યૂઆર કોડ સહિતની વિવિધ સેવાઓ પૂરી પાડશે. સીએઆઇટીના સભ્યો સરળતાથી સ્મોલ બિઝનેસ ફાઇનાન્સનો લાભ ઉઠાવી શકે તે માટે બેંક હાલમાં જ લોન્ચ કરવામાં આવેલ સ્મોલ બિઝનેસ મની બેક ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પ્રદાન કરશે. એચડીએફસી બેંકના ગવર્મેન્ટ એન્ડ ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસ એન્ડ ઈ-કામર્સના હેડ સુશ્રી સ્મિતા ભગત, સીએસસીના સીઇઓ શ્રી દિનેશકુમાર ત્યાગી અને કન્ફેડરેશન ઓફ આૅલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)ના નેશનલ સેક્રેટરી જનરલ શ્રી પ્રવીણ ખંડેલવાલ વચ્ચે જયપુર ખાતે આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. આ સહભાગીદારી અંગે વાત કરતાં સુશ્રી ભગતે જણાવ્યું હતું કે, આ પહેલમાં સહભાગી બનીને અમે ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યાં છે, આ પહેલ નાના વેપારીઓના જીવનમાં મોટું પરિવર્તન લાવશે. ઉદ્યોગસાહસિકો અર્થતંત્રની કરોડરજ્જુ છે અને આ એમઓયુ તેમને વ્યવસાય માટે ધિરાણ અને તેમને સમૃદ્ધ બનાવનારા બેંકિંગ ઉત્પાદનો સરળતાથી પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત આ પહેલ સમાજના તળિયાના વર્ગમાં આર્થિક સાક્ષરતા, આર્થિક સમાવેશન અને આવકના સર્જનના કૌશલ્યો ફેલાવવા સાથે સંબંધિત અમારા હાલમાં ચાલી રહેલા સામાજિક કાર્યક્રમોને પણ ઘણી અનુરૂપ છે. પોતાના ૧ લાખથી પણ વધુ વીએલઈના નેટવર્ક મારફતે બેંકિંગ અને નાણાકીય સેવાઓને દેશના આંતરિયાળ વિસ્તારમાં વસતા લોકોના ઘર સુધી પહોંચાડવા માટે એચડીએફસી બેંકએ સીએસસી એસપીવી સાથે પણ હાથ મિલાવ્યાં છે.

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here