Monday, July 27, 2026
HomeEntertainmentકંગનાની ફિલ્મ 'ઈમરજન્સી' 6 તારીખે પણ રીલિઝ નહીં થાય : 19 સપ્ટેમ્બરે...

કંગનાની ફિલ્મ ‘ઈમરજન્સી’ 6 તારીખે પણ રીલિઝ નહીં થાય : 19 સપ્ટેમ્બરે લેવાશે નિર્ણય

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

ફિલ્મ ‘ઈમરજન્સી’ ને સેન્સર સર્ટિફિકેટ ન મળવાને લઈને મેકર્સ બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા હતાં. હવે કોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ને આદેશ આપ્યો છે કે, 18 સપ્ટેમ્બર સુધી ‘ઈમરજન્સી’ ના સર્ટિફિકેટ પર નિર્ણય લેવામાં આવે.કંગના રણૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ ને લઈને ચાલી રહેલા વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. 6 સપ્ટેમ્બરે રીલિઝ માટે તૈયાર ‘ઈમરજન્સી’ સેન્સર બોર્ડમાં અટવાઈ છે. હજુ સુધી ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી. જેના કારણે ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી ફિલ્મ રીલિઝ થઈ શકશે નહીં.’ઈમરજન્સી’ ને સેન્સર સર્ટિફિકેટ ન મળવાના કારણે મેકર્સ બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા હતાં. હવે કોર્ટે CBFC ને આદેશ કર્યો છે કે, તે 18 સપ્ટેમ્બર સુધી ‘ઈમરજન્સી’ ના સર્ટિફિકેટ પર નિર્ણય લઈ લે. ત્યારબાદ 19 સપ્ટેમ્બરે કોર્ટ આગળની સુનવણી કરશે.

CBFC પર લગાવ્યા આરોપ :

‘ઈમરજન્સી’ ના મેકર્સ ઝી સ્ટૂડિયોઝ ફિલ્મને સર્ટિફિકેટ ન મળતા મંગળવારે બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા હતાં. મેકર્સે કોર્ટ પાસે માંગણી કરી કે, તે CBSC ને સેન્સર સર્ટિફિકેટ રજૂ કરવાનો નિર્દેશ કરે. જેથી ફિલ્મ નક્કી કરેલી રીલિઝ ડેટ 6 સપ્ટેમ્બરે સિનેમા ઘરોમાં જોવા મળી શકે. મેકર્સે અરજીમાં CBFC પર આરોપ લગાવતા કહ્યું કે, તેઓએ મનમાની રીતે સર્ટિફિકેટને રોકી દીધું છે.મેકર્સે કોર્ટમાં કહ્યું કે, 8 ઓગસ્ટે CBFC એ ‘ઈમરજન્સી’ ના પ્રોડ્યુસર (ઝી સ્ટુડિયોઝ) અને કો પ્રોડ્યુસર (મણિકર્ણિકા ફિલ્મ્સ) ને ફિલ્મમાં બદલાવ કરવા માટે કહ્યું હતું. આ બદલાવો બાદ ફિલ્મને સર્ટિફિકેટ આપવાનું હતું.14 ઓગસ્ટે મેકર્સ CBFC ને મળ્યા અને નિર્દેશ અનુસાર, કટ્સ અને બદલાવો સાથે ફિલ્મ સબમિટ કરી. આ પ્રોસેસ પૂર્ણ થયા બાદ 29 ઓગસ્ટે પ્રોડ્યુસર્સને CBFC તરફથી ઈમેલ મળ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ફિલ્મની સીડી સીલ (ફાઈનલ) કરવામાં આવી છે અને મેકર્સને સેન્સર સર્ટિફિકેટ કલેક્ટ કરી લે.ત્યારબાદ મેકર્સને બીજો ઈમેલ મળ્યો જેમાં કહેવામાં આવ્યું કે, સર્ટિફિકેટ સફળતાપૂર્વક રજૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં સર્ટિફિકેટ નંબર પણ હતો. ત્યારબાદ જ્યારે મેકર્સ એક્ચુઅલ સર્ટિફિકેટ લેવા પહોંચ્યા તો સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી. મેકર્સે કોર્ટમાં કહ્યું કે, આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે, શીખ સંપ્રદાયના અમુક સંગઠનોને ‘ઈમરજન્સી’ ના ટ્રેલર સામે વાંધો હતો અને તેઓ ફિલ્મની રીલિઝનો વિરોધ કરી રહ્યાં હતાં.ઈમરજન્સીના મેકર્સે 2 સપ્ટેમ્બર, 2024 ના દિવસે CBFC ને સર્ટિફિકેટ મુદ્દે કાયદાકીય નોટિસ મોકલી હતી, જેનો કોઈ જવાબ આપવામાં ન આવ્યો. તેથી, હવે કોર્ટમાં પિટિશન ફાઈલ કરવામાં આવી છે. ઝી સ્ટૂડિયોઝ તરફથી એડવોકેટ વેંકટેશ ઢોંડ એ કોર્ટમાં કહ્યું- CBSC પાસે રજૂ થઈ ગયેલાં સર્ટિફિકેટને રોકવાનું કોઈ કારણ નથી. જો કોઈને આ ફિલ્મથી વાંધો હોય તો તેના માટે કાયદાકીય વ્યવસ્થા છે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here