Thursday, July 23, 2026
HomeIndiaકદાવર નેતાએ ભાજપને આપી વણમાગી સલાહ કે કંગના રણૌતને તગેડી મૂકો

કદાવર નેતાએ ભાજપને આપી વણમાગી સલાહ કે કંગના રણૌતને તગેડી મૂકો

Date:

Related stories

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે પત્રકારો સાથે વાતચીત કરતાં દરમિયાન હરિયાણાની જનતાને ભાજપને હરાવવા તેમજ અન્ય દળોનું સમર્થન કરવાની અપીલ કરી છે. મલિકે કહ્યું, ‘જ્યારે પણ સંકટનો સમય આવ્યો છે, ત્યારે શીખ સંપ્રદાય હંમેશા દેશની સાથે ઊભો રહ્યો છે.’જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલે ભારતીય જનતા પાર્ટીને શીખ સંપ્રદાયના મામલે દૂર રહેવાની સલાહ આપી છે. સાથે જ તેઓએ આગામી હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં પણ લોકોને ભાજપને હરાવવાની અપીલ કરી છે. તેઓએ બોલિવૂડ એક્ટ્રેસ અને હિમાચલ પ્રદેશની મંડીથી સાંસદ કંગના રણૌતને પણ ભાજપથી બહાર કરવાની માંગ કરી છે. આ સાથે જ તેઓએ ED ની કાર્યવાહીને લઈને પણ પ્રશ્ન કર્યા છે. ટ્રિબ્યુન અનુસાર, શહીદ બાબા જંગ સિંહ ગુરૂદ્વારા પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેઓએ હરિયાણાની જનતાને ભાજપને હરાવવા તેમજ અન્ય દળોનું સમર્થન કરવાની અપીલ કરી છે. મલિકે કહ્યું, ‘જ્યારે પણ સંકટનો સમય આવ્યો છે, ત્યારે શીખ સંપ્રદાય હંમેશા દેશની સાથે ઊભો રહ્યો છે. ભાજપ સરકાર પોતાનું કામ કરવામાં અસફળ રહી છે અને તેણે હવે શીખોના મામલે દખલગીરી ન કરવી જોઈએ.’

કંગના રણૌત પર પણ કર્યા સવાલ :

મલિકે મંડીથી સાંસદ કંગના રણૌત પર પણ સવાલ કર્યા છે. તેમણે કંગનાને રાજનૈતિક રૂપે અપરિપક્વ ગણાવી હતી, સાથે જ કહ્યું કે, તે પાર્ટીમાં રહેવા લાયક નથી અને ભાજપે તેને બહાર કરી દેવી જોઈએ. આ સિવાય તેઓએ કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીના પણ જોરદાર વખાણ કર્યાં છે. તેઓએ કહ્યું, ‘મારા કાર્યકાળ દરમિયાન આતંકવાદી શ્રીનગર પહોંચવાની હિંમત નહતા કરતાં, પરંતુ હવે તે સેના પર હુમલા કરી રહ્યા છે અને કોઈ પ્રભાવી શાસન નથી. ભાજપ દિલ્હી અને શ્રીનગર બંને જગ્યાએ અસફળ રહી છે.’ નોંધનીય છે કે, મલિક ઓગસ્ટ 2018 થી લઈને ઓક્ટોબર 2019 સુધી જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ રહ્યા હતાં. જમ્મુ અને કાશ્મીરમાં 3 તબક્કામાં ચૂંટણી થવાવી છે, જેના પરિણામ 8 ઓક્ટોબરે જાહેર થશે.

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here