Friday, June 26, 2026
Homenationalકૃષિ કાયદા બિનશરતી પાછા ખેંચવા જોઇએ: સોનિયા ગાંધી

કૃષિ કાયદા બિનશરતી પાછા ખેંચવા જોઇએ: સોનિયા ગાંધી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

નવી દિલ્હી: કૃષિ કાયદા અંગે ખેડૂતોના વિરોધના મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કૉંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે દેશની સ્વતંત્રતા બાદ પહેલી વાર આવી ઘમંડી સરકાર સત્તામાં આવી છે. તેમને ખેડૂતોની પીડાની કંઇ જ પડી નથી. કૃષિ કાયદા બિનશરતી પાછા ખેંચવા પણ તેમણે માગણી કરી હતી. હિંદી ભાષામાં આપેલા એક નિવેદનમાં સોનિયાએ જણાવ્યું હતું કે લોકશાહીમાં જે સરકારને અને તેમના નેતાઓને જનતાની લાગણીની પરવા જ નથી હોતી તેઓ લાંબું શાસન નથી કરી શકતા અને એ હવે કેન્દ્ર સરકારની પૉલિસીઓ સામે ખેડૂતો ઝૂકવાના નથી.‘હજી પણ સમય છે. મોદી સરકારે સત્તાનો ઘમંડ છોડી હાડ ગાળતી ઠંડીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોનું વિરોધ પ્રદર્શન બંધ કરાવવા ત્રણે કાળા કૃષિ કાયદા બિનશરતી પાછા ખેંચવા જોઇએ. એ જ સાચો રાજધર્મ છે અને આંદોલનમાં જાન ગુમાવનારા ખેડૂતોને સાચી અંજલિ છે,’ એમ તેમણે જણાવ્યું હતું.મોદી સરકારે સમજવું જોઇએ કે લોકશાહી એટલે ખેડૂતો, કામદારો સહિત લોકોના હિતની રક્ષા કરવી.

દેશના લોકોની સાથે મને પણ ૩૯ દિવસથી રાજધાનીની સરહદે ઠંડી અને વરસાદની પરવા કર્યા વિના આંદોલન કરી રહેલા અન્નદાતાઓની સ્થિતિ જોઇને દુ:ખ થાય છે. હું પણ તેમની માગણીનું સમર્થન કરું છું.

સરકારની નિષ્ઠુરતાને કારણે અત્યાર સુધીમાં ૫૦થી વધુ ખેડૂતોએ જાન ગુમાવ્યા છે અને કેટલાક ખેડૂતોએ આત્મહત્યા પણ કરી છે, પરંતુ નિષ્ઠુર મોદી સરકાર અને વડા પ્રધાન મોદી કે કોઇ નેતાએ ખેડૂતોને સાંત્વના આપવા બે શબ્દ ઉચ્ચાર્યા નથી. મોદી સરકાર માત્ર કેટલાક ઉદ્યોગપતિઓના હિતો સાચવા માટે જ કામ કરી રહી છે. મૃતક ખેડૂતભાઇઓને હું મારી શ્રદ્ધાંજલિ આપું છું અને તેમના પરિવારજનોએ આ દુ:ખ ભોગવવાની શક્તિ આપવા ભગવાનને પ્રાર્થના કરું છું,’ એમ સોનિયાએ જણાવ્યું હતું.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here