Friday, June 5, 2026
Homenationalકૃષિ કાયદા બિનશરતી પાછા ખેંચવા જોઇએ: સોનિયા ગાંધી

કૃષિ કાયદા બિનશરતી પાછા ખેંચવા જોઇએ: સોનિયા ગાંધી

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

નવી દિલ્હી: કૃષિ કાયદા અંગે ખેડૂતોના વિરોધના મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કૉંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે દેશની સ્વતંત્રતા બાદ પહેલી વાર આવી ઘમંડી સરકાર સત્તામાં આવી છે. તેમને ખેડૂતોની પીડાની કંઇ જ પડી નથી. કૃષિ કાયદા બિનશરતી પાછા ખેંચવા પણ તેમણે માગણી કરી હતી. હિંદી ભાષામાં આપેલા એક નિવેદનમાં સોનિયાએ જણાવ્યું હતું કે લોકશાહીમાં જે સરકારને અને તેમના નેતાઓને જનતાની લાગણીની પરવા જ નથી હોતી તેઓ લાંબું શાસન નથી કરી શકતા અને એ હવે કેન્દ્ર સરકારની પૉલિસીઓ સામે ખેડૂતો ઝૂકવાના નથી.‘હજી પણ સમય છે. મોદી સરકારે સત્તાનો ઘમંડ છોડી હાડ ગાળતી ઠંડીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોનું વિરોધ પ્રદર્શન બંધ કરાવવા ત્રણે કાળા કૃષિ કાયદા બિનશરતી પાછા ખેંચવા જોઇએ. એ જ સાચો રાજધર્મ છે અને આંદોલનમાં જાન ગુમાવનારા ખેડૂતોને સાચી અંજલિ છે,’ એમ તેમણે જણાવ્યું હતું.મોદી સરકારે સમજવું જોઇએ કે લોકશાહી એટલે ખેડૂતો, કામદારો સહિત લોકોના હિતની રક્ષા કરવી.

દેશના લોકોની સાથે મને પણ ૩૯ દિવસથી રાજધાનીની સરહદે ઠંડી અને વરસાદની પરવા કર્યા વિના આંદોલન કરી રહેલા અન્નદાતાઓની સ્થિતિ જોઇને દુ:ખ થાય છે. હું પણ તેમની માગણીનું સમર્થન કરું છું.

સરકારની નિષ્ઠુરતાને કારણે અત્યાર સુધીમાં ૫૦થી વધુ ખેડૂતોએ જાન ગુમાવ્યા છે અને કેટલાક ખેડૂતોએ આત્મહત્યા પણ કરી છે, પરંતુ નિષ્ઠુર મોદી સરકાર અને વડા પ્રધાન મોદી કે કોઇ નેતાએ ખેડૂતોને સાંત્વના આપવા બે શબ્દ ઉચ્ચાર્યા નથી. મોદી સરકાર માત્ર કેટલાક ઉદ્યોગપતિઓના હિતો સાચવા માટે જ કામ કરી રહી છે. મૃતક ખેડૂતભાઇઓને હું મારી શ્રદ્ધાંજલિ આપું છું અને તેમના પરિવારજનોએ આ દુ:ખ ભોગવવાની શક્તિ આપવા ભગવાનને પ્રાર્થના કરું છું,’ એમ સોનિયાએ જણાવ્યું હતું.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here