Monday, September 14, 2026
Homenationalખેડૂતો પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ટ્રૅક્ટર પરૅડ યોજવા મક્કમ

ખેડૂતો પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ટ્રૅક્ટર પરૅડ યોજવા મક્કમ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

નવી દિલ્હી: ખેડૂત સંગઠનો નવા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ટ્રૅક્ટર પરૅડ યોજવા મક્કમ હોવાની રવિવારે જાહેરાત કરાઇ હતી.ખેડૂત સંગઠનોના નેતાઓએ દિલ્હીના સીમાડે વિરોધ-પ્રદર્શનના સ્થળે પત્રકાર પરિષદ યોજી હતી.ખેડૂત નેતા યોગેન્દ્ર યાદવે રવિવારે જણાવ્યું હતું કે અમે પ્રજાસત્તાક દિને દિલ્હીમાં આઉટર રિંગ રૉડ ખાતે ટ્રૅક્ટર પરૅડ યોજીશું. અમે ઘણી શાંતિથી પરૅડ કરીશું. અમે પ્રજાસત્તાક દિનની પરૅડમાં કોઇ વિઘ્ન ઊભું નહિ કરીએ. ખેડૂતો પોતાના ટ્રૅક્ટરો પર રાષ્ટ્રીય ધ્વજ મૂકશે.સત્તાવાળાઓએ ખેડૂતોની પ્રજાસત્તાક દિને યોજાનારી સૂચિત ટ્રૅક્ટર પરૅડ અને દેખાવ રોકવાની દાદ ચાહતી અરજી સર્વોચ્ચ અદાલતમાં કરી હતી અને તેની સુનાવણી હજી બાકી છે.ખેડૂતોના અન્ય નેતા દર્શનપાલ સિંહે આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોના દેખાવમાં ભાગ લઇ રહેલા અથવા તેઓને ટેકો આપી રહેલા લોકોની સામે નૅશનલ ઇન્વૅસ્ટિગૅશન ઍજન્સી દ્વારા કેસ કરાઇ રહ્યા છે.તેમણે નૅશનલ ઇન્વૅસ્ટિગૅશન ઍજન્સી દ્વારા એક ખેડૂત નેતાને પાઠવાયા હોવાનું કહેવાતા સમન્સના સંદર્ભે જણાવ્યું હતું કે બધા ખેડૂતો આ પગલાંને વખોડી કાઢે છે.દેશમાં તાજેતરમાં ઘડાયેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરવા સેંકડો ખેડૂતો, ખાસ કરીને પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કિસાનો દિલ્હીના સીમાડે છેલ્લા એક મહિનાથી દેખાવ કરી રહ્યા છે.સરકાર દાવો કરે છે કે આ નવા કૃષિ કાયદાથી ખેડૂતોની આવક વધશે.સરકાર ખેડૂત સંગઠનોનો આ ભય ખોટો હોવાનો દાવો કરીને આ કાયદા પાછા ખેંચવાનો ઇનકાર કરી રહી છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here