Thursday, July 16, 2026
HomeGujaratAhmedabadગુજરાત યુનિવર્સિટી દ્વારા રોજગાર મેળાનું આયોજન

ગુજરાત યુનિવર્સિટી દ્વારા રોજગાર મેળાનું આયોજન

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

અમદાવાદ, તા. ૧
ગુજરાત યુનિવર્સિટીના ગુજરાત યુનિવર્સિટી પ્લેસમેન્ટ સેલ દ્વારા આજે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ૨૮ કંપનીઓએ ભાગ લીધો હતો જેના ભાગરુપે ૨૩૬૦ જેટલી નોકરીઓ માટે યુવાનોને તક આપવા માટે કેમ્પસ ઇન્ટરવ્યુમાં ભાગ લીધો હતો. ગુજરાત યુનિવર્સિટી ખાતે લોકમાન્ય બાળગંગાધર તિલકની પૂણ્યતિથિએ યોજાયેલા રોજગાર મેળાનું ઉદ્‌ઘાટન કુલપતિ હિમાંશુ પંડ્યાએ કહ્યું હતું. આ પ્રસંગે ઉપકુલપતિ જગદીશ ભાવસાર, પ્લેસમેન્ટ ઓફિસર કિંજલ દેસાઈ, જુદી જુદી કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. યુનિવર્સિટી ખાતે યોજાયેલી રોજગાર મેળામાં ૨૩૬૦ જગ્યાઓ સામે ૧૫૭૬ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. આ નોંધણીમાં ૯૨૭ છોકરાઓ, ૯૪૯ છોકરીઓ, ૪૫ દિવ્યાંગોનો સમાવેશ થાય છે. રાજ્યની ૪૫ યુનિવર્સિટીઓ અને ૩૬૬ જેટલી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ આમા જાડાયા હતા. ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓએ વરસતા વરસાદમાં આવીને નોંધણી કરાવીને રોજગાર મેળામાં ભાગ લીધો હતો. રોજગાર મેળાના પ્રારંભે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ જગદીશ ભાવસારે જીયુપીસીને રોજગાર આપનાર અને રોજગાર વાંચ્છુ વચ્ચે સેતુની ભૂમિકા અદા કરવા બદલ અભિનંદન આપી કઠોર પરિશ્રમ થકી ઉન્નતિ પ્રાપ્ત કરવા યુવાનોને શુભેચ્છા પાઠવી હતી. યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ યુનિવર્સિટીના દ્વાર યુવાનો માટે હંમેશા ખુલ્લા છે તેમ જણાવી જીવનમાં સંકલ્પોને સાર્થક કરવા નવીન સંસાધનોના માર્ગે આગળ વધવા અપીલ કરી હતી.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here