Friday, June 26, 2026
Homenationalગુલામનબી બાદ હવે યેચુરીને કસ્ટડીમાં લેવાયા :પાર્ટી ખફા

ગુલામનબી બાદ હવે યેચુરીને કસ્ટડીમાં લેવાયા :પાર્ટી ખફા

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

કલમ ૩૭૦ નાબુદ કર્યા બાદ જમ્મુ કાશ્મીરમાં કોઇ પણ ઉશ્કેરણીજનક ગતિવિધીને રોકવા માટેના બધા પગલાઓ

શ્રીનગર, તા. ૯
સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી અને સીપીઆઈના મહાસચિવ ડી રાજાને શુક્રવારે શ્રીનગર હવાઈ મથક પર કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બંનેને શહેરમાં પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવી નથી. ડાબેરી નેતા પોતાના પાર્ટી સહયોગીને મળવા માટે શ્રીનગર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને ગુરુવારે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને શ્રીનગર એરપોર્ટથી જ દિલ્હી પરત મોકલવામાં આવ્યા હતા. સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું હતું કે, તેમણે અમને એક કાયદાકીય આદેશ બતાવ્યો હતો જેમાં શ્રીનગરમાં કોઇપણના પ્રવેશ માટે મંજુરી આપવામાં આવી ન હતી. આમાં કહેવામાં આવ્યું હતું કે, સુરક્ષાના કારણોસર પોલીસ સંરક્ષણમાં પણ શહેરમાં જવાની મંજુરી નથી આપવામાં આવી.અમે હજુ પણ તેમની સાથે વાતચીત કરવાના પ્રયાસમાં છીએ. યેચુરી અને રાજા રાજ્યપાલ સત્યપાલ મલિકને ગુરુવારે પત્ર લખીને પોતાની યાત્રાની માહિતી આપી હતી અને તેમને અનુરોધ કર્યો હતો કે, તેમને પ્રવેશની મંજુરી આપવામાં આવે. સીપીએમ મહાસચિવ યેચુરીએ કહ્યું છે કે, અમે બંનેએ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલને પત્ર લખી વિનંતી કરી હતી કે, અમારી યાત્રા મેં કોઈ અડચણ ન આવે તો પણ અમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અમે પોતાના બિમાર સહકર્મી અને અહીં ઉપÂસ્થત અમારા સહયોગીઓને મળવાની ઇચ્છા સાથે પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવ્યા બાદ જારદાર વિરોધ કરી રહેલા કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદ આજે સવારે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા પરંતુ તેમને એરપોર્ટ પરથી જ પરત મોકલી દેવામાં આવ્યા હતા. એરપોર્ટ પર રોકીને તેમને પાછા મોકલી દેવામાં આવ્યા હતા.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here