Friday, June 5, 2026
HomeGujaratAhmedabadત્રણ સંતાનોની હત્યા કરનારે મેલીવિદ્યા થયાનું કરેલું રટણ

ત્રણ સંતાનોની હત્યા કરનારે મેલીવિદ્યા થયાનું કરેલું રટણ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

પોલીસ કોન્સ્ટેબલે પત્નને સબક શિખવાડવા માટે ક્રોધમાં આવીને પોતાના જ પુત્રોને રહેંસી નાંખ્યા : ઉંડી ચકાસણી


અમદાવાદ, તા.૪
ભાવનગરમાં વિદ્યાનગર પોલીસ લાઇનમાં ત્રણ-ત્રણ સંતાનોની હત્યા કરનાર પોલીસકર્મી સુખદેવ શિયાળે રિમાન્ડ દરમ્યાન પોતાના પર મેલી વિદ્યા થઈ હોવાનું રટણ કરી રહ્યો છે. પોલીસ પૂછપરછમાં સુખદેવે એવો બચાવ કર્યો હતો કે, મારા પર મેલી વિદ્યા થઈ છે. સુખદેવ શિયાળ પોલીસની પૂછપરછ દરમ્યાન પુત્રોને યાદની કરીને તે અવામ્‌નવાર રડતો રહ્યો હતો. જેથી પોલીસ દ્વારા સુખદેવના નિવેદનનાં આધારે મેલી વિદ્યાની દિશામાં તપાસ આરંભાઇ છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં વિદ્યાનગર પોલીસ લાઇનમાં તાજેતરમાં પોતાના સગા ત્રણ બાળકોની હત્યા કરનાર પોલીસ કોન્સ્ટેબલ સુખદેવ શિયાળ અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. પત્ની સાથેનાં કંકાસથી કંટાળેલા કોન્સ્ટેબલે પત્નીને સબક શીખવાડવા માટે ક્રોધમાં આવીને પોતાના જ પુત્રોને રહેંસી નાંખ્યા હતા અને પોતે જ સમગ્ર ઘટનાની જાણ પોલીસ કંટ્રોલમાં કરી હતી અને કહ્યું હતું કે, સાહેબ મેં મારા છોકરાઓને મારી નાખ્યા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ મૃતક બાળકોમાંના ખુશાલ શિયાળનો તો શુક્રવારે જ જન્મદિન હતો. શુક્રવારે પરિવાર સાથે સુખરામ જન્મદિન ઉજવ્યો હતો. ઘરમાં રંગબેરંગી ફૂગ્ગા બાંધી કેક કાપી જન્મદિન ઉજવ્યો હતો. રવિવારે સુખરામ શિયાળ પત્ની અને બાળકો સાથે વરસાદમાં બહાર નહાવા માટે ગયો હતો. બહારથી ઘરે આવ્યા બાદ પત્ની સાથે નજીવી બાબતે ઝઘડો થતાં સુખરામે પુત્રોને એક પછી એક રહેંસી નાખ્યાં હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને ખુદ પોલીસ કર્મી દ્વારા જ આવા હિચકારા હત્યાકાંડને અંજામ અપાતાં પોલીસ બેડામાં પણ ભારે આઘાત અને શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here