Friday, September 4, 2026
Homenationalદિલ્હીમાં ઇઝરાયલી રાજદૂતાલય નજીક વિસ્ફોટ

દિલ્હીમાં ઇઝરાયલી રાજદૂતાલય નજીક વિસ્ફોટ

Date:

Related stories

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

નવી દિલ્હી: અહીં લુટ્યન્સ દિલ્હી નામના વિસ્તારમાં આવેલી ઇઝરાયલની એલચી કચેરીની બહાર શુક્રવારે સાંજે નાનો આઇઇડી (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝીવ ડિવાઇસ) વિસ્ફોટ થયો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ આ ઘટનામાં કોઈને પણ ઈજા નહોતી પહોંચી. જોકે, અમુક કારને નુકસાન પહોંચ્યું હતું, એમ જણાવીને અધિકારીઓએ ઉમેર્યું હતું કે એપીજે અબ્દુલ કલામ રોડ પર ત્રણ બંબા મોકલી આપવામાં આવ્યા હતા.પોલીસે જણાવ્યું હતું કે આ વિસ્ફોટમાં કોઈ જ મિલકતને નુકસાન નથી પહોંચ્યું. જોકે, ત્રણ વાહનોના કાચ તૂટી ગયા હતા. ઘટના શુક્રવારે સાંજે ૫.૦૫ વાગ્યે બની હતી.ઇઝરાયલી વિદેશ મંત્રાલયે જેરુસેલમથી જણાવ્યું હતું કે એની કચેરીમાંના બધા જ રાજદૂતો અને સ્ટાફ મેમ્બરો સલામત છે. જોકે, ઇઝરાયલે આ વિસ્ફોટને ‘આતંકવાદી ઘટના’ ગણાવી છે.ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે ઇઝરાયલી વિદેશ પ્રધાન ગૅબી ઍશ્કનેઝી સાથે ઘટના સંબંધમાં ફોન પર ચર્ચા કરી હતી અને તેમને ખાતરી આપી હતી કે આ ઘટનાના એક પણ દોષીને નહીં છોડવામાં આવે. જયશંકરે પછીથી પત્રકારોને કહ્યું હતું કે ‘અમે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી છે.’દરમિયાન, ચાલતી કારમાંથી જિંદાલ હાઉસ નજીકના રસ્તા પરના ડિવાઇડર ખાતે મળી આવેલો વિસ્ફોટક એક ફૂલદાનીમાં હતો. જોકે, બીજા એક અહેવાલ મુજબ ઝાડી-ઝાંખરામાં વિસ્ફોટક રાખવામાં આવ્યો હતો. સાંજે ૫.૧૧ વાગ્યે બંબા ખાતાને વિસ્ફોટ સંબંધમાં ફોન-કૉલ આવ્યો ત્યારે ઘટનાસ્થળથી થોડા જ કિલોમીટર દૂર રાજપથ ખાતે ‘બીટિંગ ધ રીટ્રીટ’નો કાર્યક્રમ ચાલુ હતો. સમગ્ર દિલ્હીમાં તેમ જ દેશના તમામ ઍરપોર્ટો ખાતે સલામતી વધુ સઘન બનાવવામાં આવી છે. ફૉરેન્સિક ટીમ પણ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી. દિલ્હી પોલીસના વધારાના જનસંપર્ક અધિકારી અનિલ મિત્તલે કહ્યું હતું કે ‘પ્રાથમિક તપાસ પરથી એવું જણાય છે કે સનસનાટી મચાવવા કોઈએ મજાક ખાતર આ વિસ્ફોટ કર્યો હશે.’ દરમિયાન, કેન્દ્રીય અનામત પોલીસ દળની ટુકડી તથા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ટીમને સતર્ક કરી દેવામાં આવી હતી અને ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીના પોલીસ કમિશનર આલોકકુમાર વર્મા સાથે તથા ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી)ના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here