Friday, June 26, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ પાલિકાની પોલ ખોલી, વરસાદની શરૂઆત થતા રોડ તૂટવા લાગ્યા

અમદાવાદ પાલિકાની પોલ ખોલી, વરસાદની શરૂઆત થતા રોડ તૂટવા લાગ્યા

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

અમદાવાદમાં રાત્રે પડેલા અડધા ઈંચ વરસાદે અમદાવાદના અનેક વિસ્તારોની હાલત દયનીય બની છે. 

અમદાવાદ :પહેલા વરસાદે જ અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની કામગીરીની પોલ ખોલી છે. અમદાવાદમાં વરસાદની શરૂઆત થતા જ રોડ તૂટવા લાગ્યા છે. અમદાવાદમાં રાત્રે પડેલા અડધા ઈંચ વરસાદે અમદાવાદના અનેક વિસ્તારોની હાલત દયનીય બની છે. રાત્રે 8 થી 9 દરમ્યાન અમદાવાદ શહેર સરેરાશ અડધા ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેના બાદ વાસણા બેરેજનો 1 ગેટ 1 ફૂટ ખોલાયો હતો. અમદાવાદના સરખેજ, બોપલ, જોધપુર, ટાગોર કન્ટ્રોલ, દુધેશ્વર, મેમકો સહિતના વિસ્તારોમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. માત્ર સામાન્ય વરસાદમાં પણ કેટલાક વિસ્તારોની હાલત દયનીય બની છે. શાયોના સિટીથી ચાંદલોડિયા તરફ જતા વચ્ચે આવતા ગરનાળામાં ગુરુવારે સવારે પણ પાણી ભરાયેલુ જોવા મળ્યું. હજુ સુધી પાણી કાઢવા માટે તંત્ર તરફથી કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. આ કારણે આજે સવારે અનેક વાહનચાલકો ગરનાળામાં ભરાયેલા પાણીમાંથી વાહન કાઢવા મજબૂર બન્યા હતા. અનેક વાહનચાલકો ગરનાળામાં ભરાયેલું પાણી જોઈને વાહન લઈ પરત ફર્યા, તો અનેક વાહનચાલકોએ કિસ્મત અજમાવી હતી. આ કારણે કેટલાક વાહનચાલકો ભરાયેલા પાણીમાં વાહન લઈ પડ્યા હતા. ગરનાળામાં પાણી ભરાયેલું હોઈ અનેક વાહનચાલકો ગરનાળાની ઉપરની તરફ આવેલા રેલવે ટ્રેક પરથી પોતાના વાહનો પસાર કરાવી રહ્યા છે. જીવના જોખમે વાહનો રેલવે ટ્રેક પરથી લોકો જોખમી રીતે પોતાના વાહનો કુદાવી રહ્યા છે. અમદાવાદમાં મોડી રાત્રે પડેલા વરસાદમાં કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા છે. માણેકબાગથી આંબાવાડી તરફ જતા માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયા હતા. મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતા બંને તરફનો માર્ગ બ્લોક થયો હતો. આ કારણે વાહનચાલકોને પણ મુશ્કેલી થઈ રહી છે. બે તરફના માર્ગમાંથી હાલ માત્ર એક જ વાહન પસાર થઈ શકે એવી સ્થિતિ સર્જાઈ છે. 

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here