Friday, June 5, 2026
HomeWorldબ્રહ્માંડમાં થયેલા 31 સુપનોવાના મહાવિસ્ફોટનાં એક્સ -રેની ઘાતક અસર પૃથ્વી પર થઇ...

બ્રહ્માંડમાં થયેલા 31 સુપનોવાના મહાવિસ્ફોટનાં એક્સ -રેની ઘાતક અસર પૃથ્વી પર થઇ શકે છે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

– નાસાની ચંદ્રા એક્સ – રે ઓબ્ઝર્વેટરીનો રેડ સિગ્નલ

– ચાર સુપરનોવાનું રેકોર્ડિંગ પણ થયું છે : વિશાળ જીવ સૃષ્ટિનો વિનાશ થઇ શકે               

વોશિંગ્ટન/ મુંબઇ :  પૃથ્વી પર અનંત અને અફાટ બ્રહ્માંડમાંથી જબરું જોખમ ઝળુંબી રહ્યું છે. આ જોખમ છેપૃથ્વીથી લગભગ ૧૦૦ પ્રકાશ વર્ષના અતિ અતિ  દૂરના અંતરે થયેલા  ૩૧ સુપરનોવા(સૂર્યના કુલ દળ  કરતાં૧૦ ગણું વધુ દળ  ધરાવતા  મહાકાય તારાનું મૃત્યુ થાય અને જે  કલ્પનાતીત  વિસ્ફોટ થાય તે પ્રક્રિયાને  ખગોળશાસ્ત્રીની ભાષામાં સુપરનોવા કહેવાય છે)ના મહાવિસ્ફોટમાંથી  બહાર ફેંકાતા  જીવલેણ -ઘાતક એકસ -રે  છેક પૃથ્વી સુધી આવી શકે છે. એક્સ -રેમાંના કિરણોત્સર્ગની ભયાનક અસરથી પૃથ્વી અને તેના જેવા અન્ય ગ્રહો  પર મહાવિનાશ સર્જાઇ શકે.  

અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ની બ્રહ્માંડમાં ઘુમતી ચંદ્રા  એક્સ -રે ઓબ્ઝર્વેટરી દ્વારા થયેલા  નિરીક્ષણની વિગતો દ્વારા આ માહિતી મળી છે. 

આ સુપરનોવામાંથી બહાર ફેંકાયેલાં એક્સ -રેઝ કદાચ પણ પૃથ્વી સુધી પહોંચે તો પૃથ્વી પર હસતીરમતી  વિશાળ અને સુંદર જીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે જોખમ સર્જાઇ શકે.માનવજાત સહિત પ્રાણીઓ,પક્ષીઓની  અસંખ્ય પ્રજાતિઓના વિનાશનું જોખમ સર્જાઇ શકે.  ચિંતાજનક બાબત  તો એ છે કે સુપરનોવાના અતિ ભયાનક વિસ્ફોટમાંથી બહાર ફેંકાતા એક્સ -રેઝ ઘણાં વરસ સુધી અફાટ અંતરીક્ષમાં ફેલાતાં રહીને છેક પૃથ્વી સુધી પણ આવી શકે  છે.

અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ની   આધુનિક   ચંદ્રા  એક્સ -રે ઓબ્ઝર્વેટરી(ભારતીય-અમેરિકન  નોબેલ પારિતોષિક વિજેતા ખગોળશાસ્ત્રી સુબ્રહ્મણ્યન ચંદ્રશેખરની સ્મૃતિમાં નાસાએ તેની એક્સ -રે વેધશાળાનું નામ ચંદ્રા એક્સ -રે  ઓબ્ઝર્વેટરી રાખ્યું છ) દ્વારા મળેલી માહિતી અને ઇમેજીસ(છબી) દ્વારા આવી ચિંતાજનક વિગતો જાણવા મળી છે.

નાસાની ચંદ્રા  એક્સ –રે  ઓબ્ઝર્વેટરી દ્વારા મળેલી માહિતી  અને ઇમેજીસનો અભ્યાસ કરીને અમેરિકાની ઇલ્લીનોઇસ યુનિવર્સિટીના ઇયાન બ્રન્ટન, કોન્નોર ઓમેહોની, બ્રાયન ફિલ્ડ્ઝ, કેન્સાસ  યુનિવર્સિટીના  એડ્રીયન મેલોટ્ટ, વોશબર્ન યુનિવર્સિટીના બ્રાયન થોમસ વગેરે ખગોળશાસ્ત્રીઓએ સંશોધનપત્ર રજૂ કર્યું છે. આ સંશોધનપત્ર એસ્ટ્રોફિઝિકલ જર્નલના ૨૦૨૩ના ૨૦,એપ્રિલના અંકમાં પ્રસિદ્ધ  થયું છે.  

આ સંશોધનપત્રમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે નાસાની ચંદ્રા  એક્સ –રે વેધશાળાએ પૃથ્વીથી ૧૬૦ પ્રકાશ વર્ષ દૂરના અંતરે કુલ ૩૧ સુપરનોવાના મહા ભયાનક વિસ્ફોટની ઘટનાનું નિરીક્ષણ કર્યું છે. વળી, ચંદ્રા ઓબ્ઝર્વેટરીએ તો આ ૩૧માંના ચાર સુપરનોવાના મહા વિસ્ફોટની ઘટનાનું રેકોર્ડિંગ પણ કર્યું  છે.  આ ચારેય સુપરનોવામાંથી ભારે  ઘાતક ગણાતા એક્સ -રે બહાર ફેંકાઇ રહ્યાં છે. આ ચારેય  સુપરનોવાની સંજ્ઞા — એસએન ૧૯૭૯ સી , એસએન ૧૯૮૭ એ, એસએન૨૦૧૦ જેએલ, એસએન ૧૯૯૪૧ — છે. 

આ સુપરનોવાના અતિ અતિ ભયંકર વિસ્ફોટમાંથી  બહાર ફેંકાતાં  એક્સ -રેઝની ઘાતક અસરથી તો પૃથ્વી ફરતેના કુદરતી સુરક્ષાકચવરૂપ ઓઝોન વાયુની વિશાળ  ચાદરને પણ ભારે મોટું  નુકસાન થાય.ઓઝોનની ચાદરમાં મોટાં મોટાં છીદ્રો થઇ જાય.ઓઝોનની ચાદર કદાચ પણ ફાટી જાય તો પેલા સુપરનોવામાંથી ફેંકાયેલાં એક્સ -રેઝ છેક પૃથ્વી સુધી આવીને મહાવિનાશ સર્જા શકે.  જોકે સંશોધનની સુક્ષ્મ  વિગતો દ્વારા એવો રાહતભર્યો સંકેત પણ મળે છે કે હાલના  તબક્કે પૃથ્વી સુપરનોવાના મહાવિસ્ફોટની શક્યતામાંથી સલામત છે. આમ છતાં આપણી મિલ્કી વેમાંનાં પૃથ્વી જેવા લાગતા ગ્રહો સલામત નથી. 

 આ ખગોળશાસ્ત્રીઓએ તો પુરાવા સાથે કહ્યું છે કે આજથી લગભગ ૨૦ લાખ અને ૮૦ લાખ વર્ષ   દરમિયાન  પૃથ્વી નજીક સુપરનોવાના  મહાવિસ્ફોટ  થયા હતા. તે સુપરનોવા પૃથ્વીથી લગભગ ૬૫ અને ૫૦૦ પ્રકાશ વર્ષ દૂરના અંતરે હતા. 

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here