Sunday, July 19, 2026
HomePoliticsમહારાષ્ટ્રની દિગ્ગજ પાર્ટીનું ભાવિ અધ્ધરતાલ, 25 નેતાએ એકસાથે સાથ છોડ્યો, શરદનો 'પાવર'...

મહારાષ્ટ્રની દિગ્ગજ પાર્ટીનું ભાવિ અધ્ધરતાલ, 25 નેતાએ એકસાથે સાથ છોડ્યો, શરદનો ‘પાવર’ વધ્યો

Date:

Related stories

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો કે ચૂંટણીને હજુ ઘણા મહિના બાકી છે તે પહેલા જ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar)ને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. અને રાજકીય પાવર પણ ઓછો થઈ રહ્યો છે. અગાઉ ચાર નેતાઓ અજિત પવારની પાર્ટી છોડી હતી, ત્યારે હવે અહેવાલ મળી રહ્યા છે કે બુધવારે (17 જુલાઈ) 25 નેતાઓએ એકસાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે (NCP) સાથે છેડો ફાડી નાખ્યો હતો. આ તમામ નેતાઓ પિંપરી-ચિંચવડના છે, જેમાં અજીત ગવાને (Ajit Gavane)નું નામ પણ સામેલ છે. એવી અટકળો હતી કે તેઓ પક્ષ બદલીને શરદ પવારના જૂથમાં જોડાઈ શકે છે. પિંપરી ચિંચવડમાં એનસીપી સાથે છેડો ફાડનારોમાં 2 પૂર્વ મેયર, વિરોધ પક્ષના નેતા અને 20 પૂર્વ કાઉન્સિલરોનો સમાવેશ થાય છે. આ તમામ વરિષ્ઠ નેતાઓ પવારની પાર્ટીમાં જોડાયા હતા. મંગળવારે (16 જુલાઈ) ગવાનેની સાથે તેના કાર્યકારી અધ્યક્ષ રાહુલ ભોસલેએ પણ રાજીનામું ધરી દીધું હતું.

હવે આટલા બધા નેતાઓ એકસાથે પાર્ટીમાંથી રામ રામ કરતા હોવાને કારણે ચૂંટણીમાં અજિત પવારને અસર કરી શકે છે.ગયા વર્ષે અજિત પવારે કાકા શરદ પવાર સાથે બળવો કર્યો હતો, ત્યારે એનસીપીમાં ભંગાણ થયા પછી શરદ પવાર પાસે માત્ર એક કાઉન્સિલર અને 8 અધિકારીઓ જ વધ્યા હતા. જો કે હવે તેની તાકાતમાં વધારો થયો છે તેવું લાગી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ એવા સમયે થયું જ્યારે અજીતના નેતૃત્વમાં એનસીપી તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી હતી. ડેપ્યુટી સીએમની પત્નીને પણ બારામતી બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો.શરદ પવારે બુધવારે (17 જુલાઈ) કહ્યું હતું કે ‘મારી પાર્ટીમાં કોઈપણ નેતાના સંભવિત પ્રવેશ અંગેનો નિર્ણય સામૂહિક રીતે લેવામાં આવશે.’ જો કે, અજિત પવાર પાછા આવવા માંગતા હોય તો તેમને પાર્ટીમાં સામેલ કરવામાં આવશે કે કેમ તેની પુષ્ટિ કરવાનો શરદ પવારે ઇનકાર કર્યો હતો. સિનિયર નેતાએ પુણેમાં પત્રકારો સાથે વાત કરતા ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી.’

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here