Friday, June 26, 2026
Homenationalમુંબઈમાં વરસાદી માહોલ અકબંધ : જનજીવન ઠપ્પ

મુંબઈમાં વરસાદી માહોલ અકબંધ : જનજીવન ઠપ્પ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

પુણેમાં પુર જેવી સ્થતિ : ઘણા લોકો ખસેડાયા : ટ્રેન અને વિમાની સેવાને માઠી અસર ઃ રેડએલર્ટની ઘોષણા અકબંધ


મુંબઇ,તા. ૪
મુંબઈમાં શુક્રવારથી ભારે વરસાદના કારણે હજુ પણ જનજીવન ખોરવાયેલું છે. આજે રવિવારના દિવસે પણ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. મુંબઈમાં હાઈટાઇડની ચેતવણી વચ્ચે લોકોને બહાર નહીં નિકળવા માટે સૂચના આપવામાં આવી છે. આજે ભારે વરસાદ વચ્ચે ગોરેગાંવ, રાજીવનગર, અન્ય તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ સ્થતિ સુધરવાના સંકેત દેખાઈ રહ્યા નથી. ભારે વરસાદના કારણે અનેક રુટ ઉપર મુંબઈની લોકલ ટ્રેન સેવા રદ કરવામાં આવી હતી. સાતથી વધારે ફ્લાઇટો પણ રદ કરવામાં આવી ચુકી છે. મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ વચ્ચે એનડીઆરએફે ૮ ટીમો તૈનાત કરી દીધી છે. સતત વરસાદના લીધે નાસિકમાં ત્ર્યંબેકેશ્વર મંદિર સંકુલમાં પુર જેવી Âસ્થતિ સર્જાયેલી છે. સેન્ટ્રલ રેલવે દ્વારા અનેક ટ્રેનોના રુટ બદલી લેવામાં આવ્યા છે. સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેન સેવા ઉપર માઠી અસર થઇ છે. આજે સવારથી જ જુદા જુદા વિસ્તારમાં ભારે વરસાદ જારી રહ્યો છે. સાયન અને કુર્લાની વચ્ચે ચાર રેલવે ટ્રેક ઉપર રેલવે સેવા બંધ કરવામાં આવી હતી. કલ્યાણ રેલવે સ્ટેશન ઉપર પણ હાલત કફોડી રહી હતી. અનેક કોલોનીઓમાં પાણી ભરાઈ ગયા હતા. શાંતાક્રૂઝ, પાલઘરમાં પણ લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. જેજે હોÂસ્પટલની નજીક તમામ જગ્યાએ પાણી ભરાઈ જતાં જનજીવન ખોરવાઈ ગયું હતું. મુંબઇ ઉપરાંત પશ્ચિમ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગે અંદાજ મુક્યો છે કે હજુ કેટલાક દિવસ ભારે વરસાદ થનાર છે. પાણી ભરાઇ જવાના કારણે ભારે અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ મુંબઇ અને આસપાસના વિસ્તારો તેમજ મહરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન સેવા પણ ખોરવાઇ ગઇ છે. વિમાની સેવાને પણ અસર થઇ છે. હવામાન વિભાગે મુંબઇ અને આસપાસના વિસ્તારો માટે ભારે વરસાદને લઇને એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. અંધેરી અને સાયનમાં ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત એરપોર્ટ, પવઇ, એસવી રોડ, વીરા દેસાઇ રોગ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જુહુમાં પણ પાણી ભરાઇ ગયા છે. જે વિસ્તારમાં જળબંબાકારની Âસ્થતિ સર્જાઈ ગઇ હતી તેમાં તમામ ભરચક રહેતા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. હાલમાં મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકોની હાલત કફોડી બની હતી. રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેન પાણીમાં ફસાઇ ગઇ હતી. જેમાંથી હજારો લોકોને બચાવાયા હતા. દરમિયાન મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે જુદા જુદા બનાવોમાં બેના મોત થયા છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here