મોટા અને મધ્યમ ખેડૂતોની સંખ્યામાં થયો ઘટાડો, રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ અંગે સરકારનો જવાબ

0
8

રાજ્યમાં 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ 53 લાખ 20 હજાર 626 ખેડૂત ખાતેદાર

ગુજરાત વિધાનસભાનું હાલ બજેટસત્ર ચાલી રહ્યું છે. તેમાં સરકાર અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દા પર પ્રશ્નોતરી શરુ છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નનો લેખિત જવાબ મંત્રી દ્વારા ગૃહમાં આપવામાં આવ્યો હતો.ખેડૂતના મુદ્દા પર સરકાર પાસે લેખિત જવાબની માંગણી કરવામાં આવી હતી. જેમાં સરકારે જવાબમાં ઉલ્લેખ કર્યો કે, રાજ્યમાં 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ 53 લાખ 20 હજાર 626 ખેડૂત ખાતેદાર છે. જેમાં સીમાંત ખેડૂતોની સંખ્યા 20 લાખ 18 હજાર 827, નાના ખેડૂતોની સંખ્યા 16 લાખ 15 હજાર 788, અર્ધ મધ્યમ ખેડૂતોની સંખ્યા 11 લાખ 50 હજાર 254, મધ્યમ ખેડૂતની સંખ્યા 4 લાખ 95 હજાર 869 અને મોટા ખેડૂતોની સંખ્યા 39 હજાર 888 નોંધાયા છે. વધારેમાં તેમણે લખ્યું હતું કે, એગ્રી સેન્સસ પ્રમાણે મોટા અને મધ્યમ ખેડૂતોની સંખ્યમાં ઘટાડો નોંધાયો છે.