Monday, June 29, 2026
HomeAhmedabadવડોદરા ૩.૫ ફુટ સુધીના મગરો દેખાતા લોકોમાં ભય

વડોદરા ૩.૫ ફુટ સુધીના મગરો દેખાતા લોકોમાં ભય

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

અમદાવાદ
વડોદરામાં પૂરના આટલા દિવસો બાદ પણ કેટલાક વિસ્તારોમાં હજુ પણ મગરો પકડાવાનો સિલસિલો જારી રહ્યો છે. જેના કારણે લોકોમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. વડોદરા શહેરના વડસરમાંથી પ્રાણીન ફાઉન્ડેશન અગ્નિ વીર સંસ્થા દ્વારા ગઇ મોડી રાત્રે બે વાગ્યે ૩.૫ ફૂટનો મગર રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લાઇફ વીથ વાઇલ્ડ લાઇફ સંસ્થા દ્વારા જાંબુવા બ્રિજ પાસેથી ૩ ફૂટનો મગર રેસ્ક્યૂ કર્યો હતો. રાત્રિના સમયે મગરો પકડાતાં સ્થાનિક લોકોમાં પણ સહેજ ગભરાહટની લાગણી ફેલાઇ ગઇ હતી. વડોદરાના કેટલાક વિસ્તારોમાંથી હજુ પણ મગરો પકડાવાનો અને મગરો દેખાવાનો સિલસિલો જારી રહેતા અને આ અંગે લોકોની ફરિયાદો મળતાં તંત્ર પણ એલર્ટ થઇ ગયુ હતું. વડોદરાના વડસરમાં ગત રાત્રે અચાનક જ મગર આવી ચડ્‌યો હતો. જેથી ગામ લોકોએ તુરંત પ્રાણીન ફાઉન્ડેશન અગ્નિ વીર સંસ્થાને જાણ કરી હતી. જેથી સંસ્થાના નેહા પટેલ અને માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ ૩.૫ ફૂટનો મગર રેસ્ક્યૂ કર્યો હતો. બીજી બાજુ જાંબુવા બ્રિજ પાસે પણ મગર દેખાયો હતો. જેથી લાઇફ વીથ વાઇલ્ડ લાઇફ સંસ્થાના મયુર મોર ટીમ સાથે પહોંચ્યા હતા અને ૩ ફૂટનો મગર રેસ્ક્યૂ કર્યો હતો. પોલીસે નાગરિકોને અપીલ કરી હતી કે, આ પ્રકારે કોઇ મગર દેખાય તો પબ્લીકે જાતે કંઇ કર્યા વગર આ સંસ્થાઓને કે વનવિભાગ અથવા તંત્રને જાણ કરવી કે જેથી તેને રેસ્કયુ કરી યોગ્ય રીતે ફરિયાદનું નિવારણ કરી શકાય.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here