Thursday, June 25, 2026
HomeGujaratસરધારના હડમતીયા ગામમાં 75 વર્ષના વૃદ્ધાની હત્યા, અંતિમવિધિ કરે તે પહેલા પોલીસ...

સરધારના હડમતીયા ગામમાં 75 વર્ષના વૃદ્ધાની હત્યા, અંતિમવિધિ કરે તે પહેલા પોલીસ પહોંચી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

રાજકોટથી 30 કિલોમીટર દૂર સરધાર નજીકના હડમતીયા (ગોલીડા) ગામમાં 75 વર્ષના વૃદ્ધાની હત્યા કરી મૃતદેહની અંતિમવિધિ કરવાની તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી. સ્મશાનમાં વૃદ્ધાના મૃતદેહને અગ્નિદાહ દે તે પહેલા જ પોલીસ પહોંચી જતા ડાઘુઓમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે વૃદ્ધાના મૃતદેહની તપાસ કરતા ગળેટૂંપો દઇ હત્યા થઇ હોવાનું ખુલતા એફએસએલની ટીમને જાણ કરતા અધિકારીઓ દોડી આવ્યા હતા.

વૃદ્ધાની 30થી 35 વીઘા જમીન મામલે નાના બે સગા ભાઇઓએ ગળેટૂંપો દઇ હત્યા કર્યાની શંકા

પ્રાપ્ત વિગત મુજબ સરધાર નજીકના હડમતીયા (ગોલીડા) ગામમાં રહેતા 75 વર્ષીય મણીબા નાનભા ખાચરની માલિકીની 30થી 35 વીઘા જમીન છે. તેઓને સંતાનમાં દીકરો ના હોય તેમના મૃત્યુ પછી જમીનના સીધા વારસદાર ભાણેજ થઇ શકે તેમ હતા. પરંતું આ જમીન મામલે તેના સગા બે ભાઇ દિનેશ અને કાળુ કાથડભાઇએ ગળેટૂંપો દઇ હત્યા કરી હોવાની શંકા સેવાઇ રહી છે. વૃદ્ધાની હત્યા બાદ તેમના મૃતદેહની અંતિમવિધિ માટે સ્મશાન પણ લઇ ગયા હતા. પરંતુ કોઇ જાગૃત નાગરિકે આજીડેમ પોલીસને જાણ કરતા દોડી આવી હતી. પોલીસ આવતા જ ડાઘુઓમાં નાસભાગ મચી ગઇ હતી. વૃદ્ધાની સ્મશાનયાત્રામાં તેના ત્રણેય ભાણેજ પણ હાજર હોય પોલીસે તેની પણ પૂછપરછ કરી હતી. પરંતુ વૃદ્ધાને સગા બે નાના ભાઇ ત્યાંથી નાસી છૂટ્યા હતા.

થોડા સમય પહેલા બન્ને ભાઇએ બહેનને માર મારી 50થી 60 હજારની મત્તાની લૂંટ કરી હતી

થોડા સમય પહેલા મણિબાના સગા નાના બે ભાઇઓ દિનેશ અને કાળુએ મણિબાને માર મારી ઘરમાંથી 50થી 60 હજારની મત્તાની લૂંટ ચલાવી હતી. જમીનના વળતરપેટે આવેલા લાખો રૂપિયામાંથી વૃદ્ધા પોતાનું ગુજરાન ચલાવતા હતા. બંને ભાઇઓ દારૂના ધંધા સાથે સંકળાયેલા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. હત્યા પાછળ મિલ્કત પચાવી પાડવાનો ઇરાદો હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે. એક ચર્ચા મુજબ હત્યાનો ભોગ બનેલા મણીબા ખાચરના પતિ નાનભા ખાચરનું વર્ષો પહેલા અવસાન થયુ હોય તેઓ એકલા જ રહેતાં હતા.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here