સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટી દ્વારા 101 બાળાઓને દત્તક લેવામાં આવી

0
143
સિદ્ધિવિનાયક મંદિર ખાતે આ 101 બાળાઓનો સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો,
સિદ્ધિવિનાયક મંદિર ખાતે આ 101 બાળાઓનો સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો,

‘દીકરી દેવો ભવ’ના સૂત્ર મુજબ સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતે આ સેવાકાર્ય ઉપાડ્યું છે.

ખેડા : ખેડાના મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટી દ્વારા 101 બાળાઓને દત્તક લેવામાં આવી છે. ‘દીકરી દેવો ભવ’ના સૂત્ર મુજબ સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતે આ સેવાકાર્ય ઉપાડ્યું છે. આજે સિદ્ધિવિનાયક મંદિર ખાતે આ 101 બાળાઓનો સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં દરેક બાળકીઓને સન્માનિત કરી તેઓને ગિફ્ટ આપી તેઓને દતક લેવામાં આવી હતી. આ સેવાકાર્ય કરનાર નરેન્દ્રભાઈએ જણાવ્યું કે, એક મહિના અગાઉ તેઓ મહેમદાવાદ તાલુકા શિક્ષક સંઘના એક કાર્યક્રમમાં ગયા હતા.

જ્યાં દરેક શિક્ષક દ્વારા એક દીકરીને દત્તક લઇ તેની અભ્યાસની જવાબદારી લેવામાં આવી રહી હતી. તેથી મેં પણ 101 દીકરીઓને દત્તક લેવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ મહેમદાવાદ તાલુકાની જુદી-જુદી 50 શાળાઓમાંથી બે દીકરીઓ પસંદ કરી આજે 101 દીકરીઓને દત્તક લેવામાં આવી છે. આ દીકરીઓના અભ્યાસ તેઓના જરૂરિયાતો તેઓના સ્વાસ્થયની તમામ જવાબદારી ટ્રસ્ટી નરેન્દ્રભાઈ દ્વારા ઉપાડવામાં આવી છે. બાળકીઓ કે તેમના પરિવારજનોએ તેમની જરૂરિયાતને લઈ મંદિર સુધી ના જવું પડે અને તેમની તમામ જરૂરિયાતો ઘરે બેઠા પૂર્ણ થાય તે પ્રકારનું માઈક્રો પ્લાનિંગ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.એક માસ અગાઉ શિક્ષક સંઘના એક કાર્યક્રમમાં ગયો હતો, જ્યાં શિક્ષકો દ્વારા બાળકીઓને દત્તક લેવામાં આવી રહી હોય તે ઘટના જોઈ મને પણ બાળકીઓને દત્તક લેવાની પ્રેરણા મળી હતી. જે અનુસંધાને આજે અમે 101 બાળકીઓને દત્તક લીધી છે તેવું સિદ્ધી વિનાયક મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું.