Sunday, May 11, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદમાં કોમ્યુનિટી હોલમાં 105 બેડની કોરોના હોસ્પિટલ શરૂ, ખાનગી વાહન અને એમ્બ્યુલન્સમાં...

અમદાવાદમાં કોમ્યુનિટી હોલમાં 105 બેડની કોરોના હોસ્પિટલ શરૂ, ખાનગી વાહન અને એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને દાખલ કરાયા

Date:

spot_img

Related stories

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...
spot_img

શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા કોર્પોરેશન સંચાલિત ડી.કે પટેલ હોલમાં વિશ્વ ઉમિયાધામ અમદાવાદ અને દેવસ્ય હોસ્પિટલ્સ ગ્રુપ દ્વારા દેવસ્ય કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. ખાનગી વાહન અને એમ્બ્યુલન્સમાં આવતા તમામ દર્દીઓને એડમીટ કરવામા આવી રહ્યા છે. જે પણ દર્દીઓ દાખલ છે તેમની વિગત હોસ્પિટલ બહાર બોર્ડ પર દર્શાવવામાં આવી છે. કોરોનાના આવતા દર્દીને પહેલા હોસ્પિટલના કેમ્પસમાં પહેલા રિપોર્ટ ચેક કરવામાં આવે છે. ત્યારબાદ તેઓને એડમીટ કરવામાં આવે છે. હાલમાં 105 બેડ કાર્યરત કરવામા આવ્યા છે જેમાં 46 જેટલા બેડ હાલમાં ભરાયા છે. દેવસ્ય કોવિડ કેર હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે 120 બેડની વ્યવસ્થા કરાઈ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિશ્વ ઉમિયાધામના સહયોગથી દેવસ્ય હોસ્પિટલ ગ્રુપે તમામ મેડિકલ વ્યવસ્થાઓ ઉભી કરી છે. ગુરુવારે સાંજે જ દેવસ્ય કોવિડ કેર હોસ્પિટલમાં કોરોનાના ગંભીર દર્દીઓની ભરતી કરવાની શરૂઆત કરાઈ છે. વિશ્વ ઉમિયાધામના સહયોગથી શરૂ કરાયેલી આ કોવિડ હોસ્પિટલમાં AMCએ નક્કી કરાયેલાં ચાર્જ જ વસુલાશે. જરૂરિયાત મંદ પરિવારને સંપૂર્ણ ટ્રિટમેન્ટ ફ્રીમાં પણ કરી આપવામાં આવશે. હોસ્પિટલમાં દાખલ થવા માટે ઈમરજન્સી નંબર 9825065605, 9825065275, 9726704541 પણ જાહેર કરાયો છે.પાટીદાર સમાજ દર્દીઓની સારવાર કરવા માટે આગળ આવ્યો છે. અમદાવાદમાં સોલા ઉમિયા માતાજીના મંદિરનું કેમ્પસ કોવિડ સેન્ટર માટે આપવા ઉંઝા પાટીદાર સંસ્થાએ તૈયારી દર્શાવી નાયબ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો. ​​​​​​સંસ્થાના એક પત્ર દ્વારા સરકારને જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદમાં એસ.જી હાઈવે પર સ્થિત શ્રી ઉમિયા માતાજી કેમ્પસ સોલા વાળી જગ્યા કોવિડ સેન્ટર માટે સરકારને આપવા માટે સંસ્થા તૈયાર છે. ઊંઝામા પણ સરકારની માંગણી મુજબ ઉમિયા યાત્રી ભવન કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓ માટે સરકારને સોંપવામાં આવેલું છે.

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here