Monday, March 16, 2026
Homenationalતામિલનાડુ: કોરોના વિરુદ્ધ DMK સરકાર એક્શનમાં આવી, 14 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત

તામિલનાડુ: કોરોના વિરુદ્ધ DMK સરકાર એક્શનમાં આવી, 14 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત

Date:

spot_img

Related stories

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

સંસદનું બજેટ સત્ર: ખડગેએ રાજ્યસભામાં LPG સપ્લાયનો મુદ્દો ઉઠાવ્યો

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ છે....

દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ડ્રોન હુમલો

ઇઝરાયેલનો ઇરાન પર 200 ઠેકાણા પર હુમલાનો દાવો ઇરાન પર...

ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં LPGનો સ્ટોક, સરકારે આપી ખાતરી

ગાંધીનગર: રાજ્યમાં ઘરેલુ તેમજ વ્યવસાયિક (કોમર્શિયલ) હેતુ માટે LPG ગેસ...

ઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના...

ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના...

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...
spot_img

 રાજ્યમાં 10 મેથી 24મી મે સુધી સંપૂર્ણ લૉકડાઉન લગાવવાનો ડીએમ કે સરકારનો નિર્ણય. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો.

ચેન્નાઈ: તામિલનાડુની ડીએમકેની નવી સરકાર કોરોના વાયરસ મામલે એક્શનમાં આવી ગઈ છે. શનિવારે રાજ્ય સરકારે 14 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે તામિલનાડુમાં એક દિવસ પહેલા જ સંક્રમણના રેકોર્ડ કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત પાડોશી રાજ્યો કેરળ અને કર્ણાટકમાં પણ સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.ગત શુક્રવારે ડીએમકેના પ્રમુખ એમ કે સ્ટાલિને મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. સત્તામાં આવતાની સાથે જ સરકારે કોરોનાને અટકાવવા માટે વિવિધ પ્રતિબંધો મૂકવાની શરૂઆત કરી દીધી છે. રાજ્યમાં 10મી મેથી 24મી મે સુધી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં કોરોના સંક્રમિત કેસને ધ્યાનમાં રાખીને સરકારે આવું પગલું ભર્યું છે.કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યદિયુરપ્પાએ કોવિડ-19ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને 24મી મે સુધી લૉકડાઉનની જાહેરાત કરી છે. આ જાહેરાત શુક્રવારે કરવામાં આવી છે. રાજ્યમાં 27મી એપ્રિલથી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે, જે 12મી મેના રોજ ખતમ થવાનો હતો. હવે 10 મે થી 24મી મે સુધી રાજ્યમાં લૉકડાઉન રહેશે. આ દરમિયાન ખાદ્ય પદાર્શો, દવા, દૂધ, ફળ જેવી આવશ્યક સેવાઓ સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધી મળી રહેશે.છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 4 લાખ 1 હજાર 78 કેસ નોંધાયા છે. આ દરમિયાન 4 હજાર 187 દર્દીનાં મોત થયા છે. કેન્દ્રાય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 3 લાખ 18 હજાર 609 દર્દી સાજા થયા છે. નવા આંકડાને જોડતા દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસ 2 કરોડ 18 લાખ 92 હજાર 676 થયા છે. મોતનો આંકડો 2.38 લાખને પાર થઈ ગયો છે.

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

સંસદનું બજેટ સત્ર: ખડગેએ રાજ્યસભામાં LPG સપ્લાયનો મુદ્દો ઉઠાવ્યો

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ છે....

દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ડ્રોન હુમલો

ઇઝરાયેલનો ઇરાન પર 200 ઠેકાણા પર હુમલાનો દાવો ઇરાન પર...

ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં LPGનો સ્ટોક, સરકારે આપી ખાતરી

ગાંધીનગર: રાજ્યમાં ઘરેલુ તેમજ વ્યવસાયિક (કોમર્શિયલ) હેતુ માટે LPG ગેસ...

ઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના...

ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના...

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here