રાયબરેલી અને પ્રયાગરાજમાં ગંગા કિનારેથી મળ્યા સેંકડો મૃતદેહો

0
31
રાયબરેલીના ગેગાસો ગંગાઘાટ પર રેતીમાં 200થી વધુ મૃતદેહો જોઇને ગ્રામજનો પણ સ્તબ્ધ થઈ ગયા છે. ગામલોકોનું કહેવું છે કે હવે આ મૃતદેહોને કૂતરાઓ દ્વારા બહાર ખેંચવામાં આવી રહ્યા છે.
રાયબરેલીના ગેગાસો ગંગાઘાટ પર રેતીમાં 200થી વધુ મૃતદેહો જોઇને ગ્રામજનો પણ સ્તબ્ધ થઈ ગયા છે. ગામલોકોનું કહેવું છે કે હવે આ મૃતદેહોને કૂતરાઓ દ્વારા બહાર ખેંચવામાં આવી રહ્યા છે.

ઉત્તરપ્રદેશમાં ગંગા કિનારે કોરોનાથી મૃત્યુ પામી રહેલા લોકોના મૃતદેહો દફનાવવામાં આવી રહ્યા

કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલી અને તેમના ગૃહ જિલ્લા પ્રયાગરાજથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં કાનપુર, ઉન્નાવ, કન્નૌજ, ગાઝીપુર અને બલિયાની જેમ ગંગા કિનારે સેંકડોની સંખ્યામાં દફનાવાયેલા મૃતદેહો મળી આવ્યા છે. ભાસ્કરના પત્રકારો બંને સ્થળે પહોંચ્યા હતા. પરિવારને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, અંતિમસંસ્કાર કરવા માટેના રૂપિયા નહોતા, તેથી એને દફનાવવામાં આવ્યા.રાયબરેલીના ગેગાસો ગંગાઘાટ પર રેતીમાં 200થી વધુ મૃતદેહો જોઇને ગ્રામજનો પણ સ્તબ્ધ થઈ ગયા છે. ગામલોકોનું કહેવું છે કે હવે આ મૃતદેહોને કૂતરાઓ દ્વારા બહાર ખેંચવામાં આવી રહ્યા છે. છેલ્લા એક મહિનાની અંદર આ મૃતદેહો અહીં દફન કરાયેલાછે. જોકે જ્યારે ભાસ્કરે એડીએમ તંત્ર રામ અભિલાષને સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે એનો ઇનકાર કર્યો હતો પ્રયાગરાજમાં ફાફામઉ ગંગાઘાટના કાંઠે પણ મોટી સંખ્યામાં દફન કરાયેલા મૃતદેહો મળી આવ્યા હતા. આસપાસના લોકોએ જણાવ્યું હતું કે અહીં રોજ 15થી 20 જેટલા મૃતદેહો દફનાવવામાં આવે છે. ઘાટના કિનારે મૃતદેહો દફનાવવા આવેલી એક વ્યક્તિએ કહ્યું, તેઓ મોંઘાં લાકડાં અને સ્મશાનનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેથી તેઓ અહીં મૃતદેહને દફનાવી રહ્યા છે. માતા ગંગા તેમને મુક્તિ આપશે. ઘાટના કિનારે લગભગ 150થી વધુ મૃતદેહો દફનાવવામાં આવ્યા છે.